AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi Birthday: વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીનો પ્રથમ જન્મદિવસ રહ્યો ખાસ, જાણો કેવી રીતે ઉજવ્યો Birthday

PM Narendra Modi Birthday : 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના 14મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ છેલ્લા નવ વર્ષથી દેશનું સુકાન સંભાળી રહ્યા છે. તેઓ આઝાદી પછી જન્મેલા દેશના પ્રથમ વડાપ્રધાન છે. ચાલો જાણીએ કે તેમણે વડાપ્રધાન બન્યા પછી પોતાનો પહેલો જન્મદિવસ કેવી રીતે ઉજવ્યો?

PM Narendra Modi Birthday: વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીનો પ્રથમ જન્મદિવસ રહ્યો ખાસ, જાણો કેવી રીતે ઉજવ્યો Birthday
PM Narendra Modi Birthday
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 9:31 AM
Share

PM Modi Birthday : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 73મો જન્મદિવસ છે. 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ પોતાનો જન્મદિવસ ખૂબ જ સાદગીથી ઉજવ્યો. પીએમ બન્યા બાદ પહેલીવાર તેમણે પોતાની માતા સાથે જન્મદિવસ ઉજવ્યો હતો. 17 સપ્ટેમ્બર 2014ના રોજ તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા આવ્યા હતા.

આ પણ વાંચો : PM Modi Birthday: મોરારી બાપુએ વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી

આ દરમિયાન હીરાબા પીએમ મોદીને 5001 રૂપિયા આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ તેને જમ્મુ અને કાશ્મીર પૂર રાહત ફંડમાં દાન કર્યું હતું. સમગ્ર દેશવાસીઓએ પીએમ મોદીના આ પગલાની પ્રશંસા કરી હતી. તમને જણાવી દઈએ કે પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીનો આ પહેલો જન્મદિવસ હતો.

આઝાદી પછી જન્મેલા દેશના પ્રથમ વડાપ્રધાન

17 સપ્ટેમ્બર 1950 ના રોજ ગુજરાતના વડનગરમાં એક સામાન્ય પરિવારમાં જન્મેલા પીએમ મોદી આજે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક છે. પીએમ મોદી આઝાદી બાદ જન્મેલા દેશના પહેલા વડાપ્રધાન છે.

26 મે 2014ના રોજ તેમણે ભારતના 14મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ છેલ્લા નવ વર્ષથી દેશનું સુકાન સંભાળી રહ્યા છે. 2019માં તેઓ સંપૂર્ણ બહુમતી સાથે સતત બીજી વખત PM બન્યા. આ સિદ્ધિ મેળવનારા તેઓ ઈન્દિરા ગાંધી પછી ભારતના પ્રથમ વડાપ્રધાન છે.

ચાર વખત ગુજરાતના સીએમ રહ્યા

વડાપ્રધાન બનતા પહેલા નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેઓ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 2014 સુધી તેઓ ચાર વખત આ પદ પર રહ્યા. પીએમ મોદીની ઈમેજ એક સફળ અને કાર્યક્ષમ વ્યક્તિ તરીકેની રહી છે. બોલવાની કળામાં પણ શાનદાર છે. તે ખૂબ જ અનોખા અંદાજમાં વિપક્ષ પર નિશાન સાધે છે.

દુનિયાભરમાં જબરદસ્ત ફેન ફોલોઈંગ છે

દુનિયાભરના દેશોમાં તેની ફેન ફોલોઈંગ ખૂબ મોટી છે. દેશમાં જ નહીં વિદેશમાં પણ તેના ઘણા ચાહકો છે. પીએમ મોદી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે ત્યારે તેઓ ભારતીય સમુદાયને ચોક્કસ મળે છે અને તેમને સંબોધિત કરે છે. પીએમ મોદીના X (અગાઉના ટ્વિટર) પર લગભગ 92 મિલિયન ફોલોઅર્સ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">