પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 22 જાન્યુઆરી 2021ના રોજ બપોરે 1:15 કલાકે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વારાણસીમાં કોવિડ રસીકરણ અભિયાનના લાભાર્થીઓ અને વેક્સિનેટરો સાથે વાતચીત કરવા જઈ રહ્યા છે. આ વાતચીતમાં રસીકરણનો લાભ લેનાર લાભાર્થીઓ તેમના અનુભવ જણાવશે.
દેશમાં અત્યારસુધીમાં 10 લાખથી વધુ લોકો રસીકરણનો લાભ લઇ ચુક્યા છે. ત્યારે PM મોદી આજે વારાણસીના રસીકરણના લાભાર્થીઓ સાથે વાત કરશે અને એમના અનુભવો પૂછશે. વડાપ્રધાન વૈજ્ઞાનિક, રાજકીય નેતાઓ, અધિકારીઓ અને અન્ય હોદ્દેદારો સાથે સતત વાતચીત અને ચર્ચા કરતા રહે છે અને આ મહા અભિયાનની દરેક વિગતને ધ્યાનથી જુએ છે અને આ અનુશાર પગલાઓ લેતા રહ્યા છે. ભારતના આ સફળ અભિયાનને જોયા બાદ વિશ્વના અનેક દેશોમાં ભારતીય વેક્સિનની માંગ ઉઠી છે. ઘણા દેશોએ Made In India વેક્સિન માટે ભારતનો સંપર્ક કર્યો છે.
આ પણ વાંચો: જામનગરમાં વધુ વળતરની લાચલ આપી કરોડોની છેતરપીંડી, પોલીસ ફરિયાદ નોંધાઈ