રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 31 જાન્યુઆરીએ સંસદના બજેટ સત્રની શરૂઆતમાં લોકસભા અને રાજ્યસભાના સંયૂક્ત સત્રને સંબોધિત કર્યુ હતું. છેલ્લા 2 દિવસથી બંને ગૃહમાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. ત્યારે વડાપ્રધાન મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વડાપ્રધાન મોદીએ બુધવારે રાહુલ ગાંધીના એક નિવેદનનો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ ગઈકાલે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે 6 મહિના પછી દેશના યુવાનો વડાપ્રધાન મોદીને ડંડાથી મારશે. તેનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે મેં પણ નક્કી કરી લીધું છે કે સૂર્યનમસ્કારની સંખ્યા વધારી દઈશ. જેથી મારી કમરની માર સહન કરવાની શક્તિ વધી જાય. વડાપ્રધાને વધુમાં કહ્યું કે છેલ્લા 20 વર્ષથી અપશબ્દો સાંભળવાની આદત પડી ગઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: PM મોદી 6 મહિના બાદ ઘરની બહાર નીકળશે તો યુવાનો ડંડાથી મારશે: રાહુલ ગાંધી