National Panchayati Raj Day : કલમ 370 હટાવ્યા બાદ PM મોદી આજે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ જાહેર સભા કરશે, 20 હજાર કરોડના કાર્યોનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ

|

Apr 24, 2022 | 6:29 AM

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે જે વિકાસ કામોનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તેમાં બનિહાલ કાઝીગુંડ રોડ ટનલનો સમાવેશ થાય છે, જે એક ઐતિહાસિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. જેનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીર પ્રદેશ વચ્ચે તમામ ઋતુમા એકબીજા સાથે જોડાણ સુનિશ્ચિત કરવાનો છે.

National Panchayati Raj Day : કલમ 370 હટાવ્યા બાદ PM મોદી આજે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ જાહેર સભા કરશે, 20 હજાર કરોડના કાર્યોનું કરશે લોકાર્પણ-શિલાન્યાસ
PM Narendra Modi (file photo)

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા અને દેશભરની તમામ ગ્રામસભાઓને સંબોધવા માટે રવિવારે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. તેમની મુલાકાતના એક દિવસ પહેલા પીએમ મોદીએ ચાર ટ્વિટ કરીને કહ્યું હતું કે આવતીકાલે 24 એપ્રિલે અમે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરીશું. આ મહત્વપૂર્ણ અવસર પર હું જમ્મુ અને કાશ્મીરમાં હોઈશ અને ત્યાંથી હું ભારતભરની ગ્રામસભાઓને સંબોધિત કરીશ. એમ પણ કહ્યું કે હું 20,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરીશ.

પીએમ મોદીએ કહ્યું કે જે કામોનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તેમાં બનિહાલ કાઝીગુંડ રોડ ટનલનો સમાવેશ થાય છે, જે એક ઐતિહાસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે જેનો ઉદ્દેશ્ય જમ્મુ અને કાશ્મીર પ્રદેશો વચ્ચે દરેક હવામાનમાં કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાનો છે. આ સાથે જમ્મુ-કાશ્મીરમાં ફેલાયેલા જન ઔષધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત પરગણામાં 500 કિલોવોટના સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વિવિધ લાભાર્થીઓને ઓનરશિપ કાર્ડ પણ આપવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

PM 20 હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે હું અમૃત સરોવર પહેલનું ઉદ્ઘાટન કરવા માટે ઉત્સુક છું, જે આપણા જળ સંસ્થાઓને પુનઃજીવિત કરવા અને પાણીના એક ટીપાને બચાવવાના અમારા સામૂહિક પ્રયાસોમાં એક વિશેષ ક્ષણ છે. આ પહેલ હેઠળ દરેક જિલ્લામાં 75 જળાશયો વિકસાવવામાં આવશે અને તેને પુનર્જીવિત કરવામાં આવશે. પીએમ મોદીની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત પર એક નિવેદનમાં, પીએમઓએ કહ્યું કે સરકાર બંધારણીય સુધારાઓ પછી અભૂતપૂર્વ ગતિએ શાસન સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને લોકો માટે જીવનની સરળતા વધારવા માટે વ્યાપક સુધારાઓ કરી રહી છે.

ઓગસ્ટ 2019 માં કલમ 370 ની જોગવાઈઓને નાબૂદ કરવાનો અને અગાઉના જમ્મુ કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કરાયોનો પરોક્ષ સંકેત છે. પીએમઓએ નિવેદનમાં જણાવ્યું છે કે જે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન વિકાસલક્ષી કાર્યોનું શિલાન્યાસ કરવામાં આવશે, તે માળખાકીય સુવિધા, વાહનવ્યવહારની સરળતા અને જમ્મુ કાશ્મીર પ્રદેશમાં માળખાગત વિકાસને સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.

આ પણ વાંચોઃ

PM નરેન્દ્ર મોદી આવતીકાલે મુંબઈ જશે, લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત થશે

આ પણ વાંચોઃ

જમ્મુ અને કાશ્મીર: કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, જૈશનો એક આતંકવાદી માર્યો ગયો

Next Article