વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસની મુલાકાતે ગુવાહાટી પહોંચ્યા હતા. રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને સીએમ હિમંતા બિસ્વા સરમાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. ભાજપના કાર્યકરોએ ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે એક લાખ માટીના દીવા પ્રગટાવ્યા.
પીએમ રવિવારે ભાજપની રાજ્ય કોર કમિટીને મળશે અને લગભગ 11,600 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન લગભગ 6.30 વાગ્યે ઓડિશાથી ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, રાજ્યના મંત્રીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું.
असम की जनता ने गुवाहाटी में माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के स्वागत में 1 लाख दीप प्रज्वलित किए।#PMModiInAssam pic.twitter.com/2twvT0Am3x
— Himanta Biswa Sarma (@himantabiswa) February 3, 2024
આ પછી કોઇનાધોરા સ્ટેટ ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા. જ્યાં પીએમ મોદી બીજેપી સ્ટેટ કોર કમિટીને મળ્યા હતા અને પાર્ટીની બાબતો પર ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે પીએમ મોદી રવિવારે સવારે 11:30 વાગ્યે ખાનપરાની વેટરનરી કોલેજના મેદાનમાં જનસભાને સંબોધશે. પીએમ મોદી ત્યાં અનેક રાજ્ય અને કેન્દ્રીય પ્રોજેક્ટનું અનાવરણ પણ કરશે.
આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ સંસદમાં કહ્યું આ વખતે 400ને પાર પીએમ મોદી સહિત સદન હાસ્યથી ગુંજી ઉઠ્યું, જુઓ વીડિયો