PM મોદીની આસામ મુલાકાત, 11,600 કરોડના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે, જાહેર સભાને પણ કરશે સંબોધન

|

Feb 04, 2024 | 9:59 AM

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે મોદી રવિવારે સવારે 11:30 વાગ્યે ખાનપરાની વેટરનરી કોલેજના મેદાનમાં જાહેર સભાને સંબોધશે. મોદી ત્યાં રાજ્ય અને કેન્દ્રના અનેક પ્રોજેક્ટ્સનું અનાવરણ પણ કરશે. ભાજપના કાર્યકરોએ ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે એક લાખ માટીના દીવા પ્રગટાવ્યા.

PM મોદીની આસામ મુલાકાત, 11,600 કરોડના પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે, જાહેર સભાને પણ કરશે સંબોધન

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસની મુલાકાતે ગુવાહાટી પહોંચ્યા હતા. રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા અને સીએમ હિમંતા બિસ્વા સરમાએ પીએમ મોદીનું સ્વાગત કર્યું. ભાજપના કાર્યકરોએ ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે એક લાખ માટીના દીવા પ્રગટાવ્યા.

પીએમ રવિવારે ભાજપની રાજ્ય કોર કમિટીને મળશે અને લગભગ 11,600 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ
Health: સમોસા ખાવાના 7 નુકસાન
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી

પીએમ મોદી આજે સવારે જનસભાને સંબોધશે

તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન લગભગ 6.30 વાગ્યે ઓડિશાથી ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, રાજ્યના મંત્રીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું.

આ પછી કોઇનાધોરા સ્ટેટ ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા. જ્યાં પીએમ મોદી બીજેપી સ્ટેટ કોર કમિટીને મળ્યા હતા અને પાર્ટીની બાબતો પર ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે પીએમ મોદી રવિવારે સવારે 11:30 વાગ્યે ખાનપરાની વેટરનરી કોલેજના મેદાનમાં જનસભાને સંબોધશે. પીએમ મોદી ત્યાં અનેક રાજ્ય અને કેન્દ્રીય પ્રોજેક્ટનું અનાવરણ પણ કરશે.

પીએમ મોદી આસામમાં મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે

  • કામાખ્યા મંદિર કોરિડોર- 498 કરોડ રૂપિયા
  • ગુવાહાટીમાં નવા એરપોર્ટ ટર્મિનલથી સિક્સ-લેન રોડ– રૂ. 358 કરોડ
  • નેહરુ સ્ટેડિયમને FIFA ધોરણોમાં અપગ્રેડ કરવું– રૂ. 831 કરોડ
  • ચંદ્રપુરમાં નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ– રૂ. 300 કરોડ
  • વડાપ્રધાન આસોમ માલા રોડ્સની બીજી આવૃત્તિનું પણ લોકાર્પણ કરશે. આ તબક્કામાં કુલ રૂ. 3,444 કરોડના રોકાણ સાથે 43 નવા રસ્તા અને 38 કોંક્રીટ પુલનો સમાવેશ થશે.
  • PM મોદી રૂ. 3,250 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સંકલિત નવા બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે.
  • પીએમ પ્રસ્તાવિત કરીમગંજ મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો શિલાન્યાસ પણ કરશે. 578 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવશે.
  • ગુવાહાટીમાં 297 કરોડ રૂપિયાના યુનિટી મોલની પણ સ્થાપના કરશે.
  • PM મોદી 1,451 કરોડના ખર્ચે વિકસિત વિશ્વનાથ ચરિયાલીથી ગોહપુર સુધીના નવા નિર્મિત ચાર-માર્ગીય રસ્તાનું અને 592 કરોડના ખર્ચે બનેલા ડોલાબારીથી જમુગુરી સુધીના અન્ય ચાર માર્ગીય રસ્તાનું ઉદ્ઘાટન કરશે.

આ પણ વાંચો: કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ સંસદમાં કહ્યું આ વખતે 400ને પાર પીએમ મોદી સહિત સદન હાસ્યથી ગુંજી ઉઠ્યું, જુઓ વીડિયો

Next Article