India EU Counsil : કોરોના સંકટમાં વડાપ્રધાન મોદીએ યુરોપીય દેશોને કરી અપીલ, કોરોના વેક્સીન પર પેટન્ટ દુર કરો

|

May 22, 2021 | 11:53 AM

India EU Counsil : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપિયન યુનિયનના 27 દેશોની કાઉન્સિલમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યુ.

India EU Counsil : કોરોના સંકટમાં વડાપ્રધાન મોદીએ યુરોપીય દેશોને કરી અપીલ, કોરોના વેક્સીન પર પેટન્ટ દુર કરો
FILE PHOTO

Follow us on

India EU Counsil : યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ માઇકલના આમંત્રણને માન આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત-ઇયુના આગેવાનોની બેઠકમાં ભાગ લીધો હતો. વિવિધ માળખા હેઠળ યોજાયેલી આ બેઠકમાં યુરોપીય યુનિયનના તમામ 27 સદસ્ય રાષ્ટ્રના આગેવાનો ઉપરાંત યુરોપીયન કાઉન્સિલ અને યુરોપીયન કમિશનના પ્રમુખે ભાગ લીધો હતો. ઇયુએ પહેલી વાર ઇયુ+27 માળખા હેઠળ ભારત સાથે બેઠક યોજી હતી. યુરોપીયન યુનિયન કાઉન્સિલના પોર્ટુગીઝ પ્રેસિડેન્સીએ આ બેઠક માટે પહેલ કરી હતી.

વડાપ્રધાન મોદીએ યુરોપીય દેશોને કરી અપીલ
India EU Counsil માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપિયન યુનિયનના 27 દેશોની કાઉન્સિલમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા  સંબોધન કર્યુ. યુરોપીયન કાઉન્સિલના પ્રમુખ ચાર્લ્સ માઇકલના આમંત્રણને માન આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારત-ઇયુના આગેવાનોની બેઠકમાં ભાગ લીધો હતો.યુરોપિયન યુનિયનની કાઉન્સિલને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ યુરોપીય દેશોને કોરોના વેક્સીન પર પેટન્ટ દુર કરવા અપીલ કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

India EU Counsil માં મુક્ત વેપાર કરાર
ઇયુ પ્લસ 27 ના વિશિષ્ટ ફોર્મેટમાં યોજાયેલી મીટિંગમાં 27 દેશોના રાજ્યોના વડાઓ સાથે વડાપ્રધાનની વર્ચુઅલ મીટિંગમાં મુક્ત વેપાર કરાર પર વાટાઘાટ કરવા પણ સંમત થયા હતા. તેના સમય અને અન્ય પાસાઓ પર સંબંધિત પક્ષોના વાણિજ્ય મંત્રીઓ દ્વારા ચર્ચા કરવામાં આવશે.

બેઠકમાં કોવિડ સહયોગ ઉપરાંત પરસ્પર વેપાર, પર્યાવરણ, સુરક્ષા, આતંકવાદ, સળગતા પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. કોવિડ કટોકટી એ બેઠકમાં ચર્ચાના કેન્દ્રમાં હતી. ઈયુના દેશો દ્વારા આપવામાં આવતી સહાય બદલ ભારતે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તો યુરોપિયન યુનિયનના દેશોએ ભૂતકાળમાં ભારત દ્વારા આપવામાં આવેલી સહાયને યાદ કરી.

ભારત અને યુરોપિયન યુનિયન મળીને કામ કરશે
India EU Counsil માં ભારત અને ઈયુએ સંયુક્ત નિવેદનમાં કહ્યું છે કે નવા પડકારોનો સામનો કરવા વિશ્વને એક થવાની જરૂર છે. ભારત અને ઈયુ હરિત અને સ્વચ્છ ઉર્જા પર સાથે મળીને કામ કરવા પણ સંમત થયા. બેઠકમાં કહેવામાં આવ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ વેપાર સંગઠનના નિયમોનું પાલન કરતા ભારત અને ઇયુ મળીને કામ કરશે.

યુરોપિયન યુનિયને કોરોના વાયરસને કારણે ભારત સહિત વિશ્વભરમાં થયેલાં મૃત્યુ અંગે દુખ વ્યક્ત કર્યું હતું. બંને પક્ષો પેરિસ કરાર અંતર્ગત બાદ 2030 સુધીમાં હરિત, સ્વચ્છ અને નવી ઉર્જા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા હતા. ભારતે ઇયુના સભ્ય દેશોની તેમની મદદ બદલ પ્રશંસા કરી. ભારત વતી કહેવામાં આવ્યું હતું કે આ સહકારથી બંને વચ્ચેના સંબંધોમાં વધુ સુધારો થશે.

Published On - 11:50 pm, Sat, 8 May 21

Next Article