AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર, સરકારે ‘PM કિસાન યોજના’ અંતર્ગત કરી મોટી જાહેરાત

જો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત યોજનાનો લાભ લો છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મંગળવારે સંસદને માહિતી આપી હતી કે વડાપ્રધાન કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના હેઠળ આપવામાં આવતી રકમ વધારવાની સરકારની પાસે કોઈ દરખાસ્ત નથી.

PM Kisan: ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર, સરકારે 'PM કિસાન યોજના' અંતર્ગત કરી મોટી જાહેરાત
પ્રતિકાત્મક તસ્વીર
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 18, 2021 | 5:56 PM
Share

જો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત યોજનાનો લાભ લો છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે મંગળવારે સંસદને માહિતી આપી હતી કે વડાપ્રધાન કિસાન સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના હેઠળ આપવામાં આવતી રકમ વધારવાની સરકારની પાસે કોઈ દરખાસ્ત નથી. આવી સ્થિતિમાં ખેડૂત પરિવારોને અગાઉની જેમ વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા 1 ડિસેમ્બર 2019 બાદ આધાર કાર્ડ જરૂરી બન્યું છે.

જાણો કૃષિ પ્રધાને શું કહ્યું

આ રકમ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા ઓળખ કરવામાં આવેલા લાભાર્થી ખેડૂતોના બેંક ખાતાઓમાં સીધા 2,000 રૂપિયાના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે. તોમરે લોકસભામાં લેખિત જવાબમાં કહ્યું કે, “પીએમ કિસાન યોજના હેઠળ ફાળવવામાં આવેલા ભંડોળમાં વધારો કરવાની કોઈ દરખાસ્ત નથી”. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતોને વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ ચુકવણી લાભાર્થીઓના બીજ ડેટાના આધારે કરવામાં આવે છે.

અયોગ્ય જાહેર કરવામાં આવે તો પૈસા પાછા ખેંચવામાં આવશે

મહારાષ્ટ્રમાં પીએમ કિસાન યોજના હેઠળ અયોગ્ય ખેડૂતો પાસેથી ભંડોળની પુન:પ્રાપ્તિ અંગેના બીજા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ વર્ષે 11 માર્ચના રોજ લગભગ 78.37 કરોડ રૂપિયા વસૂલ્યા છે.

31 માર્ચ સુધી આ રાજ્યોના ખેડૂતોને મળશે છૂટ

હાલમાં આધાર બીજની પ્રક્રિયા આસામ, મેઘાલય, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કરવામાં આવતી નથી. આ સંદર્ભમાં આ રાજ્યોને 31 માર્ચ, 2021 સુધી છૂટ આપવામાં આવી છે. રાજસ્થાનમાં આશરે 70,82,035 ખેડૂત પરિવારોને વિવિધ હપ્તાને આવરી લેવા માટે આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ રાજ્યમાં 7,632.695 કરોડ ખર્ચ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યા 1,45,799 છે, જ્યારે દૌસા જિલ્લામાં લાભાર્થીઓની સંખ્યા 1,71,661 છે.

અયોગ્ય હોવા પર પૈસા પાછા લેવામાં આવશે

મહારાષ્ટ્રમાં પીએમ કિસાન યોજના અંતર્ગત અયોગ્ય ખેડૂતો પાસેથી ભંડોળની વસૂલાત અંગેના બીજા પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ વર્ષે 11 માર્ચે લગભગ 78.37 કરોડ રૂપિયા વસૂલ્યા છે. આવા કિસ્સામાં યોગ્ય રીતે પૈસા લેતા વ્યક્તિઓ પાસેથી પૈસા પાછા લેવામાં આવે છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ ઈલેકશન પૂર્વે રામાયણના રામ અરુણ ગોવિલ ભાજપમાં જોડાયા

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">