VIDEO: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મહાચુકાદોઃ જુઓ અયોધ્યામાં કેવો છે માહોલ

|

Nov 09, 2019 | 11:07 AM

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. અયોધ્યામાં સામાન્ય માહોલ છે. પરંતુ પોલીસ અને સરકાર તમામ મામલે સજ્જ છે. સાથે જાણો કે, ASIના કયા રિપોર્ટ આધારે સુપ્રીમે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. નિર્ણય સંભળાવવાની શરૂઆતમાં જ શિયા વક્ફ બોર્ડની અરજી નકારી દેવાની વાત કરી છે. જે બાદ નિર્મોહી અખાડાના દાવાને પણ નકારી દીધો […]

VIDEO: અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો મહાચુકાદોઃ જુઓ અયોધ્યામાં કેવો છે માહોલ

Follow us on

અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપી દીધો છે. અયોધ્યામાં સામાન્ય માહોલ છે. પરંતુ પોલીસ અને સરકાર તમામ મામલે સજ્જ છે. સાથે જાણો કે, ASIના કયા રિપોર્ટ આધારે સુપ્રીમે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. નિર્ણય સંભળાવવાની શરૂઆતમાં જ શિયા વક્ફ બોર્ડની અરજી નકારી દેવાની વાત કરી છે. જે બાદ નિર્મોહી અખાડાના દાવાને પણ નકારી દીધો હતો. અને પાંચ જજની ખંડપીઠે રામ જન્મભૂમિને વિવાદિત જમીનનો કબજો આપ્યો છે. તો સાથે મસ્જિદ માટે અયોધ્યામાં 5 એકર જમીન આપવાના આદેશ પણ કર્યા છે.

આ પણ વાંચોઃ અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો, આ પ્રકારનું રામમંદિર અયોધ્યામાં બનશે!

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

કોર્ટે ASI આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના રિપોર્ટ આધારે નિર્ણય આપવામાં આવ્યા છે. જેમાં મસ્જિદ ખાલી જમીન પર બની નથી. તો સાથે મસ્જિદ કોઈ મંદિરને તોડીને બનાવી હોવાના પણ પુરાવા ન હોવાની વાત કહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

તો 6 ડિસેમ્બર 1992ના દિવસે મસ્જિદના ભાગને તોડવાની ઘટના અંગે પણ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. આ ઘટના કાનૂન વ્યવસ્થાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. સાથે કોર્ટે કહ્યું કે, આસ્થા અને વિશ્વાસના આધારે કોઈને માલિકીનો હક આપી શકાય નહીં.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોર્ટે ASIના રિપોર્ટના મોટાભાગના અંશ માન્ય રાખ્યા છે. જમીનની ખોદાઈ દરમિયાન જે ઢાંચો મળ્યો તે ઈસ્લામિક ન હોવાની વાત કોર્ટે માન્યું છે. ભારતીય ASIએ સૌ પ્રથમ રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદની વિવાદિત જમીન પર સર્વેક્ષણ કર્યું હતું. 15 વર્ષ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટના આદેશથી વિવાદિત જમીનની ખોદાઈ કરવામાં આવી હતી. અને જે વસ્તુઓ મળી તેનું વૈજ્ઞાનિક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાચિન મંદિરના અવશેષ હોવાનો દાવો પણ કરાયો હતો. તો સાથે કોર્ટમાં દલીલ કરાઈ હતી કે, સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં રામજન્મસ્થળ વિશે સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 11:02 am, Sat, 9 November 19

Next Article