
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર અને તેના અનેક ઍરબેઝ પર પણ હુમલા કર્યા. જેમાથી અનેક વિસ્તારો પરમાણુ સ્ટોરેજ સાથે જોડાયેલા હતા. ખાસ કરીને નૂરખાન ઍરબેઝ પર મચેલી તબાહી બાદ ચિંતા વધુ ઘેરી બની કે પાકિસ્તાનમાં પરમાણુ હથિયારો કેટલા સુરક્ષિત છે? તમામ ન્યૂક્લિયર પાવર દેશોમાં પાકિસ્તાન સૌથી વધુ જોખમી દેશ ગણાય છે. વાંદરાના હાથમાં અસ્ત્રો આવી જવો અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. કંઈક આવો જ ડર પાકિસ્તાનના પરમાણુ સંપન્ન થયા બાદ દુનિયાને સતાવી રહ્યો છે. આ એક પાવર(શક્તિ) તો છે જ પરંતુ શું તેને સંભાળીને રાખવાની કે સાચવવાની શક્તિ પણ તેની પાસે છે ખરી? કોઈપણ સમસ્યા આવી નથી કે તરત જ પરમાણુ હથિયારોની ધમકી આપવાનું શરૂ કરી દે છે. દેશમાં રાજકીય પરિસ્થિતિ ખાસ કંઈ સારી નથી. આવી સ્થિતિમાં અમેરિકા અનેકવાર તેના પર કથિત રીતે નિયંત્રણ લાવવાની યોજના વિચારતુ રહ્યુ છે. પરંતુ શું કોઈપણ શક્તિ કોઈ અન્ય દેશ પાસેથી પરમાણુ હથિયારો કબ્જે કરી શકે ખરી? જો હાં તો...
Published On - 2:31 pm, Tue, 13 May 25