Jammu Kashmir: હિજાબ વિવાદ પર મહેબૂબા મુફ્તીએ ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું કે ચૂંટણીના ફાયદા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે

|

Feb 13, 2022 | 6:02 PM

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે 'મને ડર છે કે ભાજપ માત્ર હિજાબ પર જ નહીં અટકે, તે મુસ્લિમોના અન્ય પ્રતીકોને પણ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે'.

Jammu Kashmir: હિજાબ વિવાદ પર મહેબૂબા મુફ્તીએ ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું કે ચૂંટણીના ફાયદા માટે કાવતરું ઘડવામાં આવી રહ્યું છે
PDP Chief Mehbooba Mufti (File Photo)

Follow us on

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ (Mehbooba Mufti) હિજાબ વિવાદને (Hijab) લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ‘મને ડર છે કે ભાજપ માત્ર હિજાબ પર જ નહીં અટકે, તે મુસ્લિમોના અન્ય પ્રતીકોને પણ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે’. ભાજપ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે ભારતીય મુસ્લિમો માટે માત્ર ભારતીય હોવું પૂરતું નથી, તેઓ પણ ભાજપ સાથે જોડાયેલા હોવા જરૂરી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લાએ પુલવામામાં કહ્યું કે દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબ પહેરવાનો અને ખાવાનો અધિકાર છે. તે પોતાની ધાર્મિક માન્યતાઓને અનુસરવા માટે સ્વતંત્ર છે. કેટલાક કટ્ટરપંથી તત્વો છે, જે લોકોને સાંપ્રદાયિક ધોરણે વહેંચીને ચૂંટણી જીતવાના પ્રયાસમાં એક ધર્મ પર હુમલો કરી રહ્યા છે.

ઉત્તર કાશ્મીરના લદરવન (કુપવાડા) ખાતે પાર્ટીના કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભાજપ દેશભરમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણ તરફ વળેલું છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડની ચૂંટણીઓને જોતા આપણે કહી શકીએ કે ભાજપે હિજાબ વિવાદને માત્ર ચૂંટણીલક્ષી લાભ માટે ષડયંત્રના ભાગરૂપે ઉશ્કેર્યો છે. જમ્મુ અને કાશ્મીરના સીમાંકનનો ડ્રાફ્ટ પણ દેશના વિવિધ ભાગોમાં ચૂંટણીના ફાયદાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

મુસ્લિમ ડ્રેસ કોડ સંસ્કૃતિનો એક ભાગ- મહેબૂબા મુફ્તી

મહેબૂબા મુફ્તીએ કહ્યું કે દેશભરના તમામ રાજકીય નેતાઓએ ભાજપ વિરુદ્ધ એક થવું જોઈએ. હિજાબને લઈને જે વિવાદ ઊભો થયો છે તેનાથી વિદ્યાર્થિનીઓને ડરવું જોઈએ નહીં. મુસ્લિમ ડ્રેસ કોડ સંસ્કૃતિનો એક ભાગ છે. ભાજપ અને આરએસએસ ગાંધીજીના ભારતને ગોડસેના ભારતમાં રૂપાંતરિત કરવા માંગે છે. તે દરેકનું જીવન મુશ્કેલ બનાવવા પર તત્પર છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ભાજપને ફાયદો કરાવવાના ઈરાદે હિજાબનો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 23-03-2025
IPLમાં ચોગ્ગા કરતા છગ્ગા વધુ ફટકારે છે આ ખેલાડીઓ
Video : સચિનની લાડલી સારા તેંડુલકરે શાહરૂખ ખાનની કરી કોપી
Jioએ કરોડો યુઝર્સનું ટેન્શન કર્યુ દૂર ! લાવ્યું 90 દિવસનો પ્લાન, IPL જોઈ શકશો ફ્રી
IPLની કોઈપણ સિઝનમાં પહેલા બોલ પર નથી થયો આ કમાલ
ભગવાનની મૂર્તિને ચઢાવેલા ફૂલો નદીમાં કેમ પધરાવવામાં આવે છે?

સીમાંકન આયોગ પર આરોપ

સીમાંકનના પ્રશ્નના જવાબમાં, તેમણે કહ્યું કે સીમાંકન પંચના સૂચિત વચગાળાના અહેવાલે અરાજકતા સર્જી છે, જેનો ફાયદો માત્ર ભાજપને જ થાય છે. માત્ર કાશ્મીરમાં જ નહીં, રાજૌરી-પૂંચ, ડોડા અને જમ્મુના લોકો પણ આ રિપોર્ટથી નાખુશ છે. રાજૌરી-પુંછને 2026 પછી અલગ કરવું જોઈએ. આ સિવાય રાજૌરી, પૂંચ અને ડોડા-કિશ્તવાડ માટે પણ બે અલગ-અલગ સાંસદ હોવા જોઈએ. ભાજપ માત્ર પોતાના ફાયદા માટે દેશની જનતામાં ભાગલા પાડી રહી છે.

આ પણ વાંચો : Statue Of Equality: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામાનુજાચાર્યની સુવર્ણ પ્રતિમાનું કર્યું અનાવરણ

આ પણ વાંચો : મણિપુરની આ જગ્યાઓ જોયા વગર સફર રહેશે અધૂરી, અહીં હતું આઝાદ હિંદ ફોજનું હેડક્વાર્ટર

Published On - 6:01 pm, Sun, 13 February 22