ગુજરાત કોંગ્રેસનું થશે નવસર્જન? રાહુલ ગાંધી સાથે સિનિયર નેતાઓની બેઠક, 26 ઓક્ટોબરે નવું માળખું જાહેર થવાની શક્યતા

દિલ્લીમાં આજે વન-ટુ-વન બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથેની બેઠકો બાદ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 5:03 PM

DELHI : ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનું સૂત્ર હતું, “કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે” જો કે 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં જ ગુજરાત કોંગ્રેસનું જ નવસર્જન થાય તેવી શકયતા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પણ મોટાપાયે ફેરફાર થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. દિલ્લીમાં આજે વન-ટુ-વન બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથેની બેઠકો બાદ ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે.

હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી સાથે રાહુલ ગાંધીએ બેઠક પૂર્ણ કરી લીધી છે. ત્યારબાદ રાહુલ ગાંધીએ બીજા નેતાઓ સાથે બેઠક કરી. રાહુલ ગાંધી ગુજરાતમાં આવનારું કોંગ્રેસનું માળખું કેવું હશે અને કેવું હોવું જોઈએ, એ બાબતે ગુજરાતના નેતાઓના મંતવ્યો લઈ રહ્યા છે.આજે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, કાર્યકારી અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ રાહુલ ગાંધી સમક્ષ હાજર રહ્યાં.

છેલ્લા લગભગ એક વર્ષથી કોંગ્રેસના પ્રમુખ બદલવા માટેની ચર્ચા ચાલી રહી છે, પરંતુ કોઈક ને કોઈક કારણસર કોઇ નિષ્કર્ષ આવતો ન હતો.જેથી વારંવાર કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા અલગ અલગ માધ્યમો દ્વારા હાઈકમાન્ડને રજુઆત પહોંચાડી હતી.પરંતુ રાજસ્થાન અને પંજાબને કારણે પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ એમાં વ્યસ્ત હોવાને કારણે ગુજરાત માટે નિર્ણય નહોતા લઈ શકતા હોવાનું પણ જણાઈ રહ્યું હતું.

આ પણ વાંચો : VADODARA : BJP કોર્પોરેટર નીતિન દોંગાને વિદેશના નંબર પરથી ફોન પર ધમકી મળી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો : કચરામાંથી કંચન: કૃષિ કચરામાંથી બનશે કાગળ અને ખાતર, વૈજ્ઞાનિકોની મદદથી ખેડૂતો કચરામાંથી પણ કરશે કમાણી

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">