અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે ઘર્ષણ મામલે બંને સંગઠનના આશરે 25 જેટલા કાર્યકર વિરુદ્ધ ફરિયાદ
અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં બે અલગ અલગ ફરિયાદ નોંધવાને બદલે હવે એક જ ફરિયાદ નોંધાઈ છે. પાલડી પોલીસ મથકના પીઆઈ બી.એસ.રબારી જાતે ફરિયાદી બન્યા છે. અને ABVPના 20થી 25 તેમજ NSUIના પણ 20થી 25 કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ પણ વાંચોઃ જગન્નાથ મંદિરની વિવાદીત જમીન પરત લેવા આદેશ, મિલકતોનું […]
Follow us on
અમદાવાદમાં NSUI અને ABVP વચ્ચે થયેલા ઘર્ષણના કેસમાં બે અલગ અલગ ફરિયાદ નોંધવાને બદલે હવે એક જ ફરિયાદ નોંધાઈ છે. પાલડી પોલીસ મથકના પીઆઈ બી.એસ.રબારી જાતે ફરિયાદી બન્યા છે. અને ABVPના 20થી 25 તેમજ NSUIના પણ 20થી 25 કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
મોડી રાત્રે 4 વાગ્યા પછી FIR રજીસ્ટર થઈ છે. મહત્વનું છે કે, અગાઉ બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ રહી હતી. બાદમાં અલગ અલગ નામજોગ ફરિયાદ નોંધવાને બદલે સરકાર તરફથી પીઆઇએ ફરિયાદી બની ફરિયાદ દાખલ કરાવી છે. હવે સમગ્ર કેસની N ડિવિઝનના ACP તપાસ કરશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો