નિર્ભયા દુષ્કર્મ કેસમાં ફાંસી પર રોક લગાવવાની અરજી મુદ્દે દિલ્હી હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. જો કે, હજુ સુધી દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો નથી. આ વચ્ચે સામાજિક કાર્યકર યોગિતા દિલ્હી હાઈકોર્ટના ગેટ-7 પર ધરણાં પર બેઠી છે. તેણે કહ્યું કે, નિર્ભયાના ગુનેગારોને જ્યાં સુધી ફાંસી આપવાની તારીખ નહીં જાહેર થાય ત્યાં સુધી તે ધરણાં પર કાયમ રહેશે.
આ પણ વાંચોઃ ઉત્તરપ્રદેશ: અખિલ ભારતીય હિન્દુ મહાસભાના પ્રદેશ અધ્યક્ષની ગોળી મારીને હત્યા
રવિવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સુરેશ કૈત દ્વારા ગૃહ વિભાગની અરજી પર સુનાવણી કરી હતી. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતા હાઈકોર્ટમાં પક્ષ રાખવા પહોંચ્યા હતા. તુષાર મેહતાએ કહ્યું કે, ગુનેગારો કાનૂનનો ગેરઉપયોગ કરી રહ્યા છે.
સોલિસિટર જનરલે આ મામલે સુનાવણી દરમિયાન કહ્યું કે, પવન ગુપ્તા એક સાથે બે અધિકારનો દુરપયોગ કરી રહ્યો છે. 2017માં દોષી પવન 225 દિવસ પછી રિવ્યુ અરજી દાખલ કરી હતી. ક્યુરેટિવ પિટીશન અને દયા અરજી હજુ સુધી દાખલ કરાઈ નથી. જો પવન દયા અરજી દાખલ કરવાનું વિચારી રહ્યો છે તો, કોઈપણ ગુનેગારને ફાંસીની સજા આપી શકાશે નહીં.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો