લશ્કર એ તૈયબાના 4 આતંકવાદીઓના માથે NIAનું 10-10 લાખનુ ઈનામ

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ચારેય આતંકીઓ લશ્કરના ફ્રન્ટલ આઉટફિટ TRFના છે. વાસ્તવમાં, એવો આરોપ છે કે આ ચાર આતંકવાદીઓ ખીણમાં યુવાનોને ઉશ્કેરે છે, તેમને જેહાદ માટે ઉશ્કેરે છે અને તેમને આતંકવાદી સંગઠનમાં ભરતી કરે છે.

લશ્કર એ તૈયબાના 4 આતંકવાદીઓના માથે NIAનું 10-10 લાખનુ ઈનામ
Lashkar e Taiba terrorists (symbolic photo)
| Edited By: | Updated on: Mar 31, 2022 | 8:22 PM

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ચાર ખતરનાક આતંકવાદીઓ (Terrorist) સામે ઈનામની જાહેરાત કરી છે. ચાર આતંકવાદીઓ સામે 40 લાખ રૂપિયા એટલે કે પ્રત્યેક આતંકવાદી માટે 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ચારેય આતંકીઓ લશ્કર એ તૈયબાના (Lashkar-E-Taiba) ફ્રન્ટલ આઉટફિટ TRFના છે. વાસ્તવમાં, એવો આરોપ છે કે આ ચાર આતંકવાદીઓ ખીણમાં યુવાનોને ઉશ્કેરે છે, તેમને જેહાદ માટે ઉશ્કેરે છે અને તેમના આતંકવાદી સંગઠનમાં તેમની ભરતી કરે છે. તેમાંથી 2 આતંકવાદીઓ પાકિસ્તાનના (Pakistan) રહેવાસી છે, જેઓ ભારતમાં હાજર પોતાના સ્લીપર સેલની મદદથી ઘાટીનું વાતાવરણ બગાડવાનું કાવતરું ઘડી રહ્યા છે.

આ આતંકીઓની ઓળખ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના રહેવાસી સજ્જાદ ગુલ ઉર્ફે શેખ ઝૈદ અને કુલગામના રહેવાસી બાસિત અહમદ ડાર તરીકે થઈ છે. જ્યારે પાકિસ્તાનના રહેવાસી સાલેમ રહેમાની અને સૈફુલ્લા સાજિદ જટ્ટ સામે 10-10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ચાર આતંકવાદીઓના પોસ્ટર પણ ખીણમાં અલગ-અલગ જગ્યાએ ચોંટાડવામાં આવશે. જે વ્યક્તિએ એજન્સીને તેમના વિશે માહિતી આપશે તેમને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

આતંકવાદીઓ સાથે જોડાણના આરોપમાં 5 સરકારી કર્મચારીઓને કાઢી મૂકયા

દાખલો બેસે તેવો એક નિર્ણય લેતા, જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે બુધવારે પોલીસ કોન્સ્ટેબલ તૌસીફ અહેમદ મીર સહિત પાંચ સરકારી કર્મચારીઓને આતંકવાદી સંગઠનો સાથે સંબંધ હોવાના કારણે તેમની નોકરીમાંથી બરતરફ કર્યા છે. મીર પર હિઝબુલ મુજાહિદ્દીન માટે કામ કરવાનો અને તેના બે સહકાર્યકરોની હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ છે. જોકે, આ નોકરીમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓ પાસે હાઈકોર્ટનો સંપર્ક કરવાનો વિકલ્પ રહેશે. બંધારણની કલમ 311 (ii) (c) હેઠળ રચાયેલી સમિતિના સૂચન પછી કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસને આ કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરી દીધી. આ કલમ હેઠળ, રાજ્યની સુરક્ષાના હિતમાં, તેને તપાસ વિના બરતરફ કરી શકાય છે. ગત વર્ષથી અત્યાર સુધીમાં ખાસ જોગવાઈ હેઠળ 34 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

જમ્મુના બડગામમાંથી લશ્કરના બે આતંકીઓની ધરપકડ કરાઈ

ગયા સોમવારે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાંથી લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે આતંકવાદીઓના કબજામાંથી પિસ્તોલ સહિત હથિયારો અને દારૂગોળો જેવી અનેક ગુનાહિત સામગ્રી મળી આવી છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓને બડગામના સુનેરગુંડ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા છે. તેમની ઓળખ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના રહેવાસી વસીમ અહેમદ ગનાઈ અને ઈકબાલ અશરફ શેખ તરીકે થઈ છે.

આ પણ વાંચોઃ

નાગાલેન્ડ, આસામ અને મણિપુરમાં AFSPA હેઠળના અશાંત વિસ્તારોને ઘટાડવા કેન્દ્ર સરકારનો નિર્ણયઃ અમિત શાહ

આ પણ વાંચોઃ

પીએમ ઈમરાન ખાનને મળી રાહત, અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થતાં જ સંસદ 3 એપ્રિલ સુધી સ્થગિત