NEET UG 2026 Paper Leak: સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો NEET પેપર લીક કેસ, NSUI-SFI બાદ ABVP એ પણ NTA વિરુદ્ધ ખોલ્યો મોરચો

નીટ પરીક્ષામાં ધાંધલી અને પેપરલીક સામે આવ્યા બાદ ફરી એકવાર દેશમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારોભાર નારાજગી ફેલાઈ છે. વિદ્યાર્થી સંગઠનોએ NTAને હટાવવાની માગ કરી છે. NSUI અને SFI બાદ હવે ABVP ના વિદ્યાર્થી કાર્યકર્તાઓ પણ NTA વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.

NEET UG 2026 Paper Leak: સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો NEET પેપર લીક કેસ, NSUI-SFI બાદ ABVP એ પણ NTA વિરુદ્ધ ખોલ્યો મોરચો
| Updated on: May 13, 2026 | 3:56 PM

NEET UG પેપર લીક કાંડ સામે આવ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એક્ઝામ કેન્સલ કરી દીધી છે. 22 લાખથી વધુ ઉમેદવારોએ જ્યારે ફરીથી નીટની પરીક્ષા આપવી પડશે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) કોઈપણ સમયે તેની અધિકારીક વેબસાઈટ https://neet.nta.nic.in પર NEET UG 2026 પરીક્ષાની નવી તારીખ જાહેર કરશે. ઉમેદવારોને કોઈપણ જાણકારી પર વિશ્વાસ કરતા પહેલા અધિકારીક વેબસાઈટ કે નોટિસ થી પુષ્ટિ કરવાની સલાહ આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો NEET UG પેપરલીક કેસ

NEET એક્ઝામ કેન્સલ કર્યા બાદ આ કેસ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) એ NEET UG ને ‘સિસ્ટેમેટિક ફેલ્યોર’ બતાવતા NTA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરી છે. યાચિકામાં NTA ને રિપ્લેસ કરી કાયદાની દેખરેખ હેઠળ NEET-UG 2026 ની પરીક્ષા ફરી આયોજિત કરવાની માગ કરવામાં આવી છે.

NTA વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠનોએ ખોલ્યો મોરચો

નીટ પરીક્ષામાં ધાંધલી અને પેપરલીક સામે આવ્યા બાદ ફરી એકવાર દેશમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારોભાર નારાજગી ફેલાઈ છે. વિદ્યાર્થી સંગઠનોએ NTAને હટાવવાની માગ કરી છે. NSUI અને SFI બાદ હવે ABVP ના વિદ્યાર્થી કાર્યકર્તાઓ પણ NTA વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.

NEET Paper Leak પર યાચિકા દાખલ કરનારા વકીલે શું કહ્યુ ?

NEET એક્ઝામ રદ થયા બાદ ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) દ્વારા અનુચ્છેદ 32 અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી છે. યાચિકા દાખલ કરનારા વકીલ તન્વી દુબે એ જણાવ્યુ કે અમારી મુખ્ય માગ છે કે NTA નો ભંગ કરી દેવામાં આવે અને NEET-UG પરીક્ષાના આયોજન માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક સ્વાયત્ત સમિતિ બનાવવામાં આવે, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે આ પ્રકારની વ્યવસ્થાગત નિષ્ફળતાઓ બીજીવાર ન થઈ શકે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, NTA પર પેપર લીક અને ટેકનિકલ ખામીઓથી લઈને પારદર્શિતાના અભાવ સુધીના આરોપો લાગ્યા છે. હાલમાં, કેન્દ્ર સરકારે આ મામલાની તપાસ CBIને સોંપી છે. અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે પ્રશ્નપત્રો ડિજિટલ લોકિંગ હેઠળ લાવવામાં આવે. તે વધુમાં માંગ કરે છે કે પેપર લીક અટકાવવા માટે સુરક્ષા પ્રોટોકોલ કડક કરવામાં આવે અને કોઈપણ ઉલ્લંઘન માટે કડક, ઝડપી સજા સુનિશ્ચિત કરવામાં આવે.

અરજદારે એવી પણ માંગ કરી છે કે પરંપરાગત ઓફલાઇન પરીક્ષા ફોર્મેટના વિકલ્પ તરીકે કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) મોડેલ લાગુ કરવામાં આવે. વધુમાં, અરજીમાં CBI ને ચાર અઠવાડિયામાં કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ ફાઇલ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ અહેવાલમાં કથિત પેપર લીકની તપાસ, ખુલાસા થયેલા નેટવર્ક્સ, ધરપકડો, આરોપીઓ વિશેની માહિતી અને કાર્યવાહીની પ્રગતિને આવરી લેવાની અપેક્ષા છે.

અરજીમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે NEET-UG માટે કેન્દ્રવાર પરિણામો જાહેર કરવામાં આવે, જેનાથી કોઈપણ અસામાન્ય પેટર્ન અથવા અનિયમિતતાઓની પારદર્શક તપાસ થઈ શકે. નોંધનીય છે કે NEET-UG પરીક્ષા 3 મેના રોજ લેવામાં આવી હતી; જોકે, પેપર લીક કૌભાંડ બાદ, NTA એ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો.

PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, નેહરુ સરકારે કહ્યું હતું ‘સોનું દાનમાં આપો’, લોકોએ મંગળસૂત્ર સુદ્ધાના કર્યા હતા દાન- વાંચો સંકટકાળમાં Goldની ભૂમિકા

Published On - 3:33 pm, Wed, 13 May 26

Follow Us