કોંગ્રેસમાં જોડાવાના ઇનકાર વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ પ્રશાંત કિશોરને મળ્યા, PK સાથેની એક સેલ્ફી પોસ્ટ કરી

|

Apr 26, 2022 | 8:45 PM

નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) સાથે એક સેલ્ફી પોસ્ટ કરી છે. સિદ્ધુએ આ સેલ્ફી એવા સમયે પોસ્ટ કરી છે જ્યારે કિશોરે કોંગ્રેસમાં જોડાવાની પાર્ટીની ઓફરને ઠુકરાવી દીધી છે.

કોંગ્રેસમાં જોડાવાના ઇનકાર વચ્ચે નવજોત સિંહ સિદ્ધુ પ્રશાંત કિશોરને મળ્યા, PK સાથેની એક સેલ્ફી પોસ્ટ કરી
Navjot Singh Sidhu - Prashant Kishor

Follow us on

કોંગ્રેસમાં જોડાવાના તેમના ઇનકાર વચ્ચે, પાર્ટીના નેતા નવજોત સિંહ સિદ્ધુએ (Navjot Singh Sidhu) જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor) સાથે એક સેલ્ફી પોસ્ટ કરી છે. સિદ્ધુએ આ સેલ્ફી એવા સમયે પોસ્ટ કરી છે જ્યારે કિશોરે કોંગ્રેસમાં જોડાવાની પાર્ટીની ઓફરને ઠુકરાવી દીધી છે. પીકે સાથેની પોતાની સેલ્ફી પોસ્ટ કરતા સિદ્ધુએ ટ્વીટમાં કહ્યું, મારા જૂના મિત્ર પીકે (પ્રશાંત કિશોર) સાથે મારી મુલાકાત થઈ. જૂની વાઇન, જૂનું સોનું અને જૂના મિત્રો શ્રેષ્ઠ છે. કોંગ્રેસે મંગળવારે કહ્યું કે કિશોરને ‘પ્રિવિલેજ વર્કિંગ ગ્રુપ-2024’નો ભાગ બનીને પાર્ટીમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી. જોકે તેણે ના પાડી હતી.

આ અંગે કિશોરે કહ્યું હતું કે કોંગ્રેસની માળખાકીય સમસ્યાઓને દૂર કરવા માટે તેમના કરતાં નેતૃત્વ અને સામૂહિક ઇચ્છાશક્તિ વધુ મહત્વની છે. છેલ્લા ઘણા દિવસોથી, કિશોર દ્વારા આપવામાં આવેલા સૂચનો અને તેમની પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓને લઈને કોંગ્રેસમાં સતત મંથન ચાલી રહ્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કોંગ્રેસે પાર્ટીમાં જોડાવાની ઓફર કરી હતી

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, પ્રશાંત કિશોર સાથેની રજૂઆત અને ચર્ચા પછી, કોંગ્રેસ અધ્યક્ષે ‘પ્રિવિલેજ વર્કિંગ ગ્રૂપ-2024’ ની રચના કરી અને કિશોરને નિર્ધારિત જવાબદારી સાથે આ જૂથ સોંપવામાં આવ્યું. તેનો એક ભાગ બનીને પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું. જો કે, તેણે પાર્ટીમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. સુરજેવાલાના ટ્વીટના થોડા સમય પછી, કિશોરે ટ્વીટ કર્યું, મેં વિશેષાધિકૃત કાર્યકારી જૂથનો ભાગ બનીને પાર્ટીમાં જોડાવાની અને ચૂંટણીની જવાબદારી લેવાની કોંગ્રેસની ઓફર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.

કિશોરે નવેસરથી વ્યૂહરચના બનાવવાની સલાહ આપી

કિશોરે એમ પણ કહ્યું હતું કે, મારો નમ્ર અભિપ્રાય છે કે મારા કરતા વધુ, પક્ષને નેતૃત્વ અને સામૂહિક ઇચ્છાશક્તિની જરૂર છે જેથી પરિવર્તનશીલ સુધારા દ્વારા, માળખાકીય સમસ્યાઓ જે પક્ષને ઘેરી લે છે તેનું નિરાકરણ લાવી શકાય. ભૂતકાળમાં, વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. સોનિયા ગાંધીએ તેમના સૂચનો પર વિચાર કરવા માટે આઠ સભ્યોની સમિતિની રચના કરી હતી.

આ પણ વાંચો : ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુસીબત વધી, આસામ પોલીસ પર હુમલાના કેસમાં પાંચ દિવસ પોલીસ કસ્ટડીમાં ધકેલાયા

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: કુલગામમાં આતંકવાદીઓએ કર્યો ગ્રેનેડ હુમલો, CRPF ના જવાનો પર ગોળીબાર પણ કર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article