પંજાબ વિધાનસભામાં CM ચન્નીની સ્પીચ દરમિયાન નવજોતસિંહ સિદ્ધુ અને અકાલી દળના ધારાસભ્યો વચ્ચે હાથાપાઈ

|

Nov 11, 2021 | 5:11 PM

સીએમ ચરણજીત સિંહ ચન્નીએ અકાલી દળના નેતાઓને ડ્રગ ડીલર ગણાવ્યા હતા. જે બાદ અકાલી દળના ધારાસભ્યો ગુસ્સે થઈ ગયા હતા અને ત્યારબાદ નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના નેતાઓ અને ધારાસભ્યો સામસામે થઈ ગયા હતા.

પંજાબ વિધાનસભામાં CM ચન્નીની સ્પીચ દરમિયાન નવજોતસિંહ સિદ્ધુ અને અકાલી દળના ધારાસભ્યો વચ્ચે હાથાપાઈ
Navjot Singh Sidhu (File Pic)

Follow us on

પંજાબ વિધાનસભા(Punjab Assembly)માં મુખ્યમંત્રી ચન્ની(CM Charanjit Singh Channi)ની સ્પીચ દરમિયાન જોરદાર હંગામો થયો હતો. હંગામો એટલો વધી ગયો કે, નવજોત સિંહ સિદ્ધુ અને અકાલી દળના નેતાઓમાં હાથાપાઈ થઈ હતી. સીએમ ચરણજીત સિંહ ચન્નીના અકાલી દળના નેતાઓને નશાના સોદાગર કહ્યું હતા. ત્યાર બાદ અકાલી દળના ધારાસભ્યો ભડકી ગયા અને ત્યાર બાદ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) અને અકાલી દળ(Shiromani Akali Dal)ના નેતા અને ધારાસભ્યો સામ-સામે આવી ગયા હતા.

વિધાનસભામાં થયેલા હંગામાં પર નવજોતસિંહ સિદ્ધુનું એક નિવેદન આવ્યું છે જેમાં પંજાબ કોંગ્રેશના પ્રદેશ અધ્યક્ષ સિદ્ધુએ જણાવ્યું કે, વિપક્ષ ડરેલું છે એટલા માટે જાણી જોઈને આમ (હાથાપાઈ) કરવામાં આવ્યું છે. ચન્ની સરકાર, પંજાબ કોંગ્રેસ અહીંના લોકો માટે કામ કરી રહી છે. જે પણ યોજનાઓ બનાવી, જાહેરાત કરી છે તે આગામી પાંચ વર્ષને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસ કે મહીનાને ધ્યાનમાં રાખીને નહીં.

પંજાબ વિધાનસભાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોના અંતના 1 મિનિટમાં જોવા મળી રહ્યું છે કે, અકાલી દળના નેતા વિક્રમ સિંહ મજીઠિયા અને અન્ય અકાલી ધારાસભ્યો સીએમની સીટ સામે પહોંચી ગયા અને ત્યાં વચ્ચે બચાવ માટે નવજોતસિંહ સિદ્ધુ અને અન્ય કોંગ્રેસ ધારાસભ્યો પણ આવી ગયા હતા. જે બાદ બન્ને પક્ષોમાં તકરાર થઈ, પરંતુ જેવી જ હાથાપાઈની નોબત આવી તો તેવું જ પંજાબ સરકારે તેનું ટેલીકાસ્ટને વચ્ચેથી બંધ કરી દીધું.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

સીએમ ચરણજીત સિંહ ચન્નીએ સદનમાં પોતાની સ્પીચ દરમિયાન અકાલી નેતાઓ તરફ ઈશારો કરતા રહ્યું કે, તમે બધા નશાના વ્યવસાય સાથે જોડાયેલા છો ત્યારે બાદ વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો.

આ પણ વાંચો: Corona Vaccination: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે બેઠક યોજી, કહ્યું દેશમાં રસીની કોઈ અછત નથી

આ પણ વાંચો: Success Story: લંડનમાં અભ્યાસ કરી પરત આવી આ યુવક ચલાવે છે ઓટોમેટિક ડેરી ફાર્મ, ચીપથી ટ્રેક થાય છે ગાયોનો રેકોર્ડ

Next Article