ખેડૂત કાયદાઓ પાછા નહીં લેવામાં આવે
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar) એ કહ્યું હતું કે જો કોઈ પણ ખેડૂત યુનિયન ત્રણ ખેડૂત કાયદાઓ (Farmers Law) સાથે સંબંધિત જોગવાઈઓ અંગે અડધી રાત્રે પણ વાતચીત કરવા તૈયાર છે, તો હું તેમનું સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે ભારત સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા તૈયાર છે. જો કે, તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું કે આ વાતચીત દરમિયાન પણ ત્રણ ખેડૂત કાયદાઓ પાછા ખેંચવાની વાત કરવામાં આવશે નહીં.કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ નિવેદનનો વિડીયો પણ શેર કર્યો છે.
भारत सरकार नए कृषि कानूनों से संबंधित प्रावधानों पर किसी भी किसान संगठन से और कभी भी बात करने को तैयार है…
हम उनका स्वागत करते हैं… pic.twitter.com/gv1FF9zU8i— Narendra Singh Tomar (@nstomar) June 18, 2021
રાકેશ ટિકૈતે સરકાર પર સાધ્યું નિશાન
ત્રણ ખેડૂત કાયદાઓ (Farmers Law) અંગેનાકેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર (Narendra Singh Tomar) ના નિવેદનનો જવાબ આપતા ભારતીય કિસાન યુનિયન(BKU) ના નેતા રાકેશ ટીકૈત (Rakesh Tikait) એ ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, “સરકાર આરોપો શોધે છે સમાધાન નથી શોધતી. આ કઈ લોકશાહી છે! દેશભરનાં ખેડુતો સાત મહિનાથી રાજધાનીમાં ધરણા પર બેઠા છે અને કેન્દ્ર સરકાર સરમુખત્યારશાહી વલણ અપનાવી રહી છે.”
सरकारें आरोप ढूंढती हैं समाधान नहीं। यह कौन सा लोकतंत्र है.! देशभर के किसान सात महीने से राजधानी में धरने पर बैठे हैं और केंद्र सरकार तानाशाह रवैया अपनाए हुए है..।#FarmersProtest
— Rakesh Tikait (@RakeshTikaitBKU) June 18, 2021
સરકાર અને ખેડૂતો વચ્ચે 11 વખત વાતચીત
સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે 11 વખત વાતચીત થઈ છે. છેલ્લી વાતચીત 22 જાન્યુઆરીએ થઈ હતી. 26 જાન્યુઆરીએ ખેડૂત ટ્રેક્ટર રેલી દરમિયાન વ્યાપક હિંસા બાદ બંને પક્ષો વચ્ચે વાતચીત અટકી ગઈ હતી.સુપ્રીમ કોર્ટે ત્રણ ખેડૂત કાયદાઓના આદેશના અમલ ઉપર સ્ટે આપ્યો છે. કોર્ટે પણ આ મુદ્દાના નિરાકરણ માટે એક સમિતિની રચના કરી છે.
આ પણ વાંચો : Uttarakhand : મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે છોડવું પડશે મુખ્યપ્રધાનપદ, જાણો શું છે કારણ
Published On - 11:17 pm, Sun, 20 June 21