બાળકોમાં કુપોષણની સમસ્યાથી લડવા માટે વડાપ્રધાન મોદી ઝડપી જ એક નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’માં જાણકારી આપતા કહ્યું કે કુપોષણની સમસ્યાથી લડવા માટે રાશન પ્રણાલી હેઠળ વહેંચણી કરવામાં આવતા ચોખાનું ફોર્ટિફિકેશન કરવાની યોજના સપ્ટેમ્બર મહીનાથી સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે.
વડાપ્રધાને કહ્યું કે પોષક તત્વો વિશે જાણકારી ન હોવાને કારણે ગરીબ જ નહી પરંતુ સમૃદ્ધ પરિવાર પણ કુપોષણથી પ્રભાવિત થઈ રહ્યા છે. જો દરેક નાગરિક કોઈ એક પરિવારને કુપોષણથી બહાર નીકાળવામાં મદદ કરે તો દેશ આ ગંભીર સમસ્યાથી બહાર થઈ શકે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
હાલમાં આ યોજના સીમીત જિલ્લાઓમાં લાગૂ કરવામાં આવી હતી, જે હવે તેને વ્યાપક રીતે લાગૂ કરવામાં આવશે. રાજ્યો તરફથી આ યોજનાને મંજૂરી મળી ગઈ છે અને હવે કેન્દ્રીય કેબિનેટની લીલી ઝંડીની રાહ જોઈ રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]
આ યોજના હેઠળ ડાંગરમાંથી ચોખાની તૈયારી દરમિયાન અનાજમાં આયર્ન અને વિટામિન બી -12નું બારીક લેયર લગાવવામાં આવશે. ત્યારબાદ રાશન ફોર્ટિફિકેશન પ્રોગ્રામને મિડ-ડે મિલ પ્રોગ્રામ હેઠળ સ્કુલોમાં લાગૂ કરવામાં આવશે. આ યોજના હેઠળ પ્રતિ કિલો અનાજ તૈયારમાં 60 પૈસાનો ખર્ચ થશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]