વિશ્વસ્તરે ભારતના મહાઅભિયાનનો આજે ડંકો વાગશે, કારણકે વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનો આજથી ભારતમાં શુભારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સથી આ અભિયાનનો પ્રારંભ કરાવશે. સવારે 10:30 કલાકે પીએમ સમગ્ર દેશમાં એક સાથે અભિયાન શરૂ કરાવશે. આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા રસીકરણ માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. દેશના કુલ 3006 કેન્દ્રો પર રસીકરણ અભિયાન હાથ ધરાશે. રસીલેનાર લોકો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત પણ કરી શકે છે. પ્રથમ તબક્કામાં આરોગ્યકર્મીઓને રસી આપવામાં આવશે.
આ પણ વાંચો: ‘સ્ટેચ્યુ ઓફ યૂનિટી’ સુધી દેશભરમાંથી ચાલશે 8 ટ્રેન, PM મોદી રવિવારે દેખાડશે લીલી ઝંડી
Published On - 7:27 am, Sat, 16 January 21