શું ભારતમાં બંધ થઈ જશે McDonald’s ના આઉટલેટ્સ? સંસદમાં દીપેન્દ્ર હુડ્ડાએ પણ કરી McDને બંધ કરવાની માગ

કોંગ્રેસ પાર્ટીના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાને સોમવારે કહ્યુ કે ડોનાલ્ડ ટ્રમ્પને ચુપ કરાવો નહીં તો અમેરિકાની કંપની McDonald's ને દેશમાં બંધ કરી દો. ત્યારથી દેશમાં મેકડોનાલ્ડ્સની ખૂબ ચર્ચા થઈ રહી છે. આવો જાણીએ કેટલા લાખ કરોડનો છે મેકડોનાલ્ડ્સનો કારોબાર

શું ભારતમાં બંધ થઈ જશે McDonald’s ના આઉટલેટ્સ? સંસદમાં દીપેન્દ્ર હુડ્ડાએ પણ કરી McDને બંધ કરવાની માગ
| Updated on: Jul 29, 2025 | 4:06 PM

સંસદમાં મોનસુન સત્ર ચાલી રહ્યુ છે. આ દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ સોમવારે કહ્યુ કે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂપ કરાવો નહીં તો અમેરિકાની કંપની McDonald’s ને દેશમાં બંધ કરી દો. જે બાદથી મીડિયા થી લઈને સોશિયલ મીડિયા પર McDonald’sની ખૂબ ચર્ચા ચાલી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે આ અમેરિકી બર્ગર બનાવનારી કંપનીનો કારોબાર કેટલો મોટો છે? કેટલા દેશોમાં તેની બ્રાન્ચ છે?

ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, દીપેન્દ્ર હુડ્ડાએ પાકિસ્તાનને ઘેરતા ટ્રમ્પ તરફથી કરવામાં આવતા યુદ્ધવિરામના દાવાની નિંદા કરી. તેમણે કહ્યું કે ડોનાલ્ડને ચૂપ કરાવો, તેનું મોં બંધ કરાવો અથવા ભારતમાં મેકડોનાલ્ડ્સને બંધ કરાવો. આ નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થવા લાગ્યું. લોકોએ તેના પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું.

આટલો મોટો છે કંપનીનો કારોબાર

મેકડોનાલ્ડ્સ વિશ્વની સૌથી મોટી ફૂડ ચેઇન્સમાંની એક છે. અમેરિકા ઉપરાંત, આજે તેના આઉટલેટ્સ લગભગ 71 દેશોમાં છે. તે 1940 માં શરૂ થયું હતું. બીજી બાજુ, જો આપણે તેની બજાર કિંમત વિશે વાત કરીએ, તો તે લગભગ 213.42 બિલિયન ડોલર એટલે કે લગભગ 18 લાખ કરોડ રૂપિયા છે.

શું બંધ થશે કંપની ?

દીપેન્દ્ર સિંહ હુડા પછી, લોકો સોશિયલ મીડિયા પર કંપની વિશે અનેક પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. કંપની બંધ કરવાની માંગ તેના વ્યવસાયને પણ અસર કરી શકે છે. જોકે, અત્યાર સુધી સરકારે મેકડોનાલ્ડ્સ અથવા તેના આઉટલેટ્સ બંધ કરવા અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી.

કંપનીના માલિક કોણ છે?

કંપનીના વર્તમાન સીઈઓ અને ચેરમેન ક્રિસ્ટોફર જોન કેમ્પઝિન્સ્કી છે. તે વિશ્વની 71મી સૌથી મૂલ્યવાન કંપની છે. તે ફાસ્ટ ફૂડ ઉદ્યોગમાં અગ્રણી છે અને ભારત જેવા દેશોમાં પણ તેની મજબૂત હાજરી છે, જ્યાં તે હજારો લોકોને નોકરીઓ પૂરી પાડે છે.

ભારતનું એકમાત્ર રાજ્ય જ્યાં નથી એકપણ રેલવે સ્ટેશન કે રેલવે ટ્રેક, નથી આવતી ક્યારેય કોઈ ટ્રેન- ક્યું છે આ રાજ્ય?

Published On - 4:05 pm, Tue, 29 July 25