Maharashtra : ઘરમાં અંતિમક્રિયાનો માતમ હતો, ત્યાં જ અર્થી પરથી ઉભી થઇ વૃદ્ધા, જાણો પછી શું થયું
Maharashtra : કયારેક એવા અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છેકે જેને સાંભળીને અચરજ થાય. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્ર રાજયમાં સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધાનું મોત થયું હોવાનું સમજી પરિવારમાં માતમ છવાયો હતો.
Maharashtra : કયારેક એવા અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છેકે જેને સાંભળીને અચરજ થાય. આવો જ એક કિસ્સો મહારાષ્ટ્ર રાજયમાં સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધાનું મોત થયું હોવાનું સમજી પરિવારમાં માતમ છવાયો હતો. અને, ઘરમાં પરિવારના સદસ્યો મોતના માતમમાં રોઇધોઇ રહ્યા હતા. ત્યાં જ અર્થીમાં સુતેલી વૃદ્ધા ઉભી થઇ. અને, બોલી આ શું ચાલી રહ્યું છે. અને તે પણ રોવા લાગી.
શું છે સમગ્ર ઘટના ?
શકુંતલા ગાયકવાડ નામની વૃદ્ધ મહિલાનો કોરોના રિપોર્ટ થોડા દિવસો પહેલા જ પોઝિટિવ આવ્યો હતો. કેટલાક દિવસોથી તેણીને ઘરેથી અલગ રાખવામાં આવી હતી. પરંતુ વૃદ્ધાવસ્થાને કારણે તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ પરિવારે તેને બારામતીની હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું હતું. 10 મેના રોજ વૃદ્ધ મહિલાને ખાનગી વાહન દ્વારા બારામતી લઇ જવાયો હતો.
પરિવારે તેમના માટે બારામતીમાં હોસ્પિટલના પલંગને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે અસફળ રહ્યો. તેઓ કારમાં રાહ જોતા જ મહિલા બેભાન થઈ ગઈ અને વૃદ્ધાની તમામ હલનચલનની ક્રિયાઓ બંધ પડી ગઇ હતી. જેથી પરિવારે ધાર્યું હતું કે વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું છે. જેથી તેમના પરિવારને અંતિમ સંસ્કાર વિશે પણ માહિતી આપી દેવામાં આવી હતી.
પરિવારજનો તેને ઘરે પરત લઈ ગયા અને અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરી દીધી. પરિવારજનોમાં શોકની લાગણી સાથે, મહિલાને તેની અંતિમ યાત્રા માટે ઠાઠડી પાસે બેસાડી દેવામાં આવી હતી. ત્યાં જ એવું બન્યું કે ત્યાં હાજર સૌ-કોઇ અચંબિત થઇ ગયા. અચાનક વૃદ્ધ મહિલાએ આંખો ખોલી અને, પછી વૃદ્ધ મહિલા રડવા લાગી. જેથી પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો. અને, પરિજનોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.
આ આંચકા બાદ તેનો પરિવાર વૃદ્ધાને હોસ્પિટલ લઈ ગયો. પોલીસ કર્મચારીએ સંતોષ ગાયકવાડે પુષ્ટિ આપી છે કે આ ઘટના બારામતીના મુધાલ ગામે બની છે. દરમિયાન, મહિલાને વધુ સારવાર માટે બારામતીની સિલ્વર જ્યુબિલી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.