Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જસ્ટીસ અરૂણ મિશ્રાએ ફેંસલો સંભળાવ્યા બાદ કહ્યું કે શિવની કૃપાથી આ ફેંસલો પણ થઈ ગયો છે. જણાવી દઈએ કે જસ્ટીસ અરૂણ મિશ્રા આવતીકાલે રીટાયર થઈ રહ્યા છે અને તેમણે સંભળાવેલો નિર્ણય પણ આખરી જ હતો અને તેમણે શિવલિંગનાં ધોવાણને અટકાવવા માટે દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે.
શિવલિંગ જાળવણી માટેનાં વિવિધ દિશા નિર્દેશો
શિવલિંગને કોઈ પણ રીતે ઘસવામાં નહી આવે
કોઈ પણ ભક્તને શિવલિંગ ઘસવા દેવામાં નહી આવે
દહી, ઘી અને મધને શિવલિંગ પર ઘસવાનું બંધ કરી દેવામાં આવે, માત્ર શુદ્ધ દુધ જ શિવલિંગ પર ચઢાવવામાં આવે
અગર પુજારી કે પુરોહિત દ્વારા કોઈ ઉલ્લંઘનની ઘટના બને છે તો મંદિર સમિતિ તેની સામે કાર્યવાહી કરી શકશે
મંદિર સમિતિ પોતાનાં વાસણ અને શુદ્ધ પાણી અને શુદ્ધ દુધ ઉપલબ્ધ કરાવશે.
2017થી ચાલી રહ્યો હતો કોર્ટમાં મામલો
જણાવી દઈએ કે મહાકાલેશ્વર જ્યાતિર્લિગ ધોવાણનો મામલો 2017માં સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો હતો, એક અરજી દાખલ થયા બાદ તજજ્ઞો દ્વારા મંદિરનું નિરિક્ષણ કરાવવામાં આવ્યું હતું જે પછી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં ધોવાણને રોકવા માટે કરવામાં આવેલા ઉપાય સુપ્રીમ કોર્ટમાં મહાકાલ મંદિર સમિતિ દ્વારા મુકવામાં આવ્યા હતા. અરજીકર્તાનાં વકીલે મંદિર સમિતિની રિપોર્ટ પર અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જ્યોતિર્લિંગનાં ધોવાણને રોકવા માટે કોઈ નક્કર પગલા નથી લીધા, એ દરમિયાન અરજીકર્તા દ્વારા મંદિરનાં ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓનાં પ્રવેશને પણ પુરી રીતે પ્રતિબંધિત કરી દેવાની માગ મુકી હતી.