આગામી લોકસભા ચૂંટણીને જોતાં ગૃહમંત્રાલય ચૂંટણીની ફરજ બજાવી રહેલાં કેન્દ્રીય પોલીસ કર્મચારીઓને ભોજન પૂરું પાડશે. જો આમ થશે તો દેશમાં પેહલી વખત જ્યારે ચૂંટણીની ફરજ બજાવી રહેલા જવાનોને ભોજન ઉપલબ્ધ કરવવામાં આવશે. આ અગાઉ અર્ધસૈનિક દળના જવાનોએ ભોજનની વ્યવસ્થા જાતે જ કરવાની રહેતી હતી.
હાલની સ્થિતિને જોતાં ગૃહમંત્રાલય તરફથી રેલવેને આદેશ આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણીની ફરજ પર જઇ રહેલાં જવાનોને ભોજન ઉપલ્બધ કરવવાનું રહેશે. આ માટે રેલવે કેટરિંગ ડિવીઝનને લખવામાં આવ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રાલયે ચૂંટણી દરમિયાન કેન્દ્રીય પોલીસ કર્મીઓને ટૂંકી નોટિસ પર ભોજન પૂરું પાડવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : આખરે અનિલ અંબાણીને જેલ જતાં મુકેશ અંબાણીએ બચાવી લીધાં, નાના ભાઈએ પણ આભાર વ્યક્તમાં કરવા કોઇ કસર ન છોડી
એટલું જ નહીં જયાં IRCTCની સુવિધા મળતી ન હશે ત્યાં પ્રાઇવેટ વેન્ડરને આદેશ આપવામાં આવશે અને તેમની પાસે વ્યવસ્થા કરવવામાં આવશે.
IRCTC પણ જવાનો માટે બ્રેકફાસ્ટ,લંચ અને ડિનર ઉપરાંત એક નાની વોશરૂમ કિટ ઉપલબ્ધ કરાવવાની વાત કરી છે. એટલું જ નહીં ગૃહમંત્રાલયે ભોજનનું મેનૂ પણ નક્કી કર્યું છે. જેમાં ફરજ પર રહેલાં જવાનોને સ્વાદની સાથે સાથે પોષણનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે અને સ્વચ્છતા માટેની પણ કાળજી રાખવા જણાવ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 2:38 am, Tue, 19 March 19