કોરોના વાયરસના ખતરાને વધવાથી રોકવા માટે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન કરી દીધું છે. આ ગંભીર સમસ્યા માટે આ પગલું ખૂબ જરૂરી હતું પણ આ લોકડાઉનમાં સૌથી વધારે સમસ્યા એ લોકો માટે છે, જેમના ઘરમાં રાશન ના હોવાના કારણે ઘરનો ચુલો સળગશે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ મુશ્કેલ સમયમાં બધાએ એકબીજાનું ધ્યાન રાખવું પડશે. પૂર્વ ભારતીય કેપ્ટન અને BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગૂલી આ પડકારમાં લોકોની મદદ માટે આગળ આવ્યા છે. તેમને 21 દિવસના લોકડાઉનમાં જરૂરિયાતમંદ લોકો માટે 50 લાખ રૂપિયાના ચોખા વહેંચવાનું વચન આપ્યું છે.
સૌરવ ગાંગુલીએ આ મુશ્કેલ સમયમાં પરેશાન થઈ રહેલા લોકોની જરૂરિયાતને સમજી છે. તે છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોનાથી બચવા માટે લોકોને ઘરમાં રહેવાની અપીલ પણ કરી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ગાંગૂલીએ આ પહેલા પણ મદદની જાહેરાત કરી હતી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે શું તે આ સંકટમાં કોરોના વાયરસના કારણે લોકોને એકાંતવાસમાં જવા માટે ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમને ઉપયોગ કરવાની પરવાનગી આપશે. ત્યારે ગાંગૂલીએ કહ્યું હતું કે સરકાર અમને કહેશે તો અમે તમામ સુવિધાઓ તેમને સૌંપી દઈશું. આ સમયમાં તે કોઈ પણ પ્રકારે મદદ કરી શકે છે તો તે કરશે.
આ પણ વાંચો: VIDEO: વતનમાં ચાલીને જતા શ્રમિકોની મદદે નાયબ મુખ્યપ્રધાન, બસ સેવા ઉપલબ્ધ કરાવી
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]