રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં (Udaipur) આજે દિવસભર એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર ઉદયપુરમાં તણાવ છે અને હત્યારાઓની ધરપકડની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ટોળાએ આગચંપી પણ શરૂ કરી હતી. હાલ આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ટ્વીટ કરીને બધાને શાંતિની અપીલ કરી છે. સાથે જ તેમણે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. આરોપીઓ કપડા સીવડાવવાના બહાને યુવકની દુકાનમાં ઘુસી ગયા હતા અને પછી શહેરની વચ્ચોવચ જાહેરમાં તિક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરી નાખી હતી. ઉદયપુરમાં નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. જેમાં થોડા દિવસો પહેલા યુવકે નુપુરના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી ત્યારબાદ તેને સતત ધમકીઓ મળી રહી હતી.
Locals protest after two men behead youth in broad daylight in #Udaipur‘s Maldas street area#Rajasthan #TV9News pic.twitter.com/c6H279vVEH
— Tv9 Gujarati (@tv9gujarati) June 28, 2022
સીએમ અશોક ગેહલોતે કહ્યું કે યુવકની હત્યાની સખત નિંદા કરીએ છીએ. આ ઘટનામાં સંડોવાયેલા તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ગુનાના તળિયે જશે. હું તમામ પક્ષોને શાંતિ જાળવવા અપીલ કરું છું. આવા જઘન્ય અપરાધમાં સામેલ દરેક વ્યક્તિને કડકમાં કડક સજા આપવામાં આવશે. તેમણે કહ્યું, “હું દરેકને અપીલ કરું છું કે આ ઘટનાનો વીડિયો શેયર કરીને વાતાવરણને બગાડવાનો પ્રયાસ ન કરો. વીડિયો શેયર કરીને સમાજમાં નફરત ફેલાવવાનો ગુનેગારનો હેતુ સફળ થશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર રાજસ્થાનમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
રાજસ્થાન વિધાનસભાના વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ કહ્યું છે કે ઉદયપુરમાં બપોરે એક શરમજનક હત્યા થઈ છે. વીડિયો પણ વાયરલ થયો છે. આ પ્રકારની હત્યા ટોળકી વિના થઈ શકે નહીં. મેં એસપી, ડીજી અને સીએમ સાથે પણ વાત કરી છે. આરોપીઓને જલ્દી પકડવામાં આવે.
Published On - 6:38 pm, Tue, 28 June 22