પોપ સિંગર Rihanna પોતાની ફેશન સેન્સ અને ગીતને લઇને ઘણી ચર્ચામાં હોય છે. થોડાક સમય પહેલા રિહાનાએ ખેડૂત આંદોલનને લઇને ટ્વીટ કર્યુ હતું.આ વખતે રિહાના ફરી એક વખત ચર્ચામાં આવી ગઇ છે.હકીકતમાં રિહાનાએ એક બ્રાંડ માટે ફોટોશૂટ કરાવ્યુ છે. આ ફોટોશૂટમાં તે ટોપલેસ પોઝ આપી રહી છે અને ગળામાં ભગવાન ગણેશનું પેન્ડેન્ટ પણ પહેર્યુ છે. જેના કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર તેના ફેશન સેંસની ઘણી આલોચના કરવામાં આવી રહી છે.ફોટો ટ્વીટર પર શેર કરતા રિહાનાએ લખ્યું છે કે when Popcaan Music said me nuh wan ya wear no lingerie tonight fa me girl
રિહાનાનો ફોટો જોઇ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે મેં જોયું નથી પણ ભારતમાં સનાતન ધર્મ ખૂબ જ સહિષ્ણુ છે અને બહુ ધૈર્યવાન છે. જેનો ફાયદો ફિલ્મ બનાવવા વાળા , એડવટાઇઝમેન્ટ બનાવવા વાળા ટુકડે ટુકડે ગેંગના સભ્યો કરે છે. જેને જે મન કરે તેમ લોકો આપણ દેવી દેવીઓને લઇ કટાક્ષ કરી જાય છે.પરંતુ કોઇ બીજા ધર્મનું સ્કેચ કરે તો હડકંપ મચી જાય છે. આ આપણા ધૈર્યની પરીક્ષા છે.
ઉલ્લેખનીય છે કે 2 ફ્રેબુઆરીએ રિહાનાએ ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું અને ટ્વીટમાં લખ્યુ હતુ કે આપણે કેમ આ બાબતમાં વાત નથી કરતા? #farmersprotest આના પર કંગના રનૌતે જવાબ આપતા લખ્યું હતું કે આ બાબત પર કોઇ વાત એટલે નથી કરતું કારણ કે આ ખેડૂતો નહી પરંતુ આતંકવાદીઓ છે. ભારતના ભાગલા કરવા માગે છે. કારણ કે ચીન જેવા દેશ અમારા રાષ્ટ્ર પર કબ્જો જમાવી લે અને યુએસએ જેવી ચાઇનીઝ કોલોની બનાવી લે. તુ શાંત રહે મુર્ખ. ત્યારબાદ આ મામલાએ વધારે જોર પકડ્યુ હતું
Published On - 4:54 pm, Tue, 16 February 21