આ સમયના મોટા સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે. રાજ્યમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના (Lt. Governor VK Saxena)વચ્ચે ફરી એકવાર ટકરાવની સ્થિતિ સર્જાઈ છે. એક અધિકારીએ જણાવ્યું છે કે એલજી વીકે સક્સેનાએ કેજરીવાલ સરકારની આબકારી નીતિ 2021-22 (Excise Policy 2021-22) માં નિયમોના ઉલ્લંઘન અને પ્રક્રિયાગત ક્ષતિઓ માટે CBI તપાસની ભલામણ કરી છે. મુખ્ય સચિવના તપાસ રિપોર્ટ બાદ LGએ આ પગલું ભર્યું છે. આ તપાસ રિપોર્ટમાં ઘણા નિયમોની અવગણના કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર લાયસન્સ ધારકોને ગેરકાનૂની રીતે લાભ આપવાનો આરોપ છે. રિપોર્ટમાં સૌથી મોટો આરોપ છે કે જ્યારે કોરોના વાયરસ રોગચાળાને કારણે પરપ્રાંતિય મજૂરો દિલ્હી છોડી રહ્યા હતા, લોકો મરી રહ્યા હતા, શેરી વિક્રેતાઓ તેમની આજીવિકા માટે પડકારોનો સામનો કરી રહ્યા હતા, ઢાબા, રેસ્ટોરન્ટ, હોટેલ, જીમ, શાળાઓ પણ બંધ થઈ રહી હતી, તેમને કેજરીવાલ સરકારે મદદ કરી નથી પરંતુ લાંચ કમિશનના બદલામાં, દારૂના વેપારીઓની 144 કરોડ રૂપિયાની લાઇસન્સ ફી માફ કરી દીધી, જેનાથી તિજોરીને મોટું નુકસાન થયું.
LG VK Saxena recommends CBI probe into Kejriwal government’s Excise Policy 2021-22 over violation of rules and procedural lapses: Officials
— Press Trust of India (@PTI_News) July 22, 2022
અહેવાલ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે નોંધનીય બાબત છે કે રાજ્યના નાણા અને આબકારી મંત્રી મનીષ સિસોદિયાના સીધા આદેશ હેઠળ આબકારી વિભાગે દારૂના વેપારીઓની 144 કરોડ રૂપિયાની લાઇસન્સ ફી માફ કરી દીધી છે. કેજરીવાલ સરકાર આ નીતિ અપનાવી શકી ન હોત અને લોકોને આર્થિક મદદ કરી શકી હોત. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ સરકારના મનમાં લાંચ અને કમિશનના બદલામાં માત્ર દારૂના વેપારીઓને ફાયદો થવાનો હતો.