કેજરીવાલ સરકારની આબકારી નીતિ પર LG કડક, લાંચના બદલામાં વેપારીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ, ઉપરાજ્યપાલે CBI તપાસની ભલામણ કરી

|

Jul 22, 2022 | 12:01 PM

એક અધિકારીએ જણાવ્યું છે કે એલજી વીકે સક્સેના (LG VK Saxena)એ કેજરીવાલ સરકારની 2021-22ની આબકારી નીતિમાં નિયમોના ઉલ્લંઘન અને પ્રક્રિયાગત ક્ષતિઓ માટે CBI તપાસ (CBI Investigation)ની ભલામણ કરી છે.

કેજરીવાલ સરકારની આબકારી નીતિ પર LG કડક, લાંચના બદલામાં વેપારીઓને ફાયદો પહોંચાડવાનો આરોપ, ઉપરાજ્યપાલે CBI તપાસની ભલામણ કરી
News of confrontation again between Delhi government and Lieutenant Governor

Follow us on

આ સમયના મોટા સમાચાર દિલ્હીથી સામે આવી રહ્યા છે. રાજ્યમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના (Lt. Governor VK Saxena)વચ્ચે ફરી એકવાર ટકરાવની સ્થિતિ સર્જાઈ છે. એક અધિકારીએ જણાવ્યું છે કે એલજી વીકે સક્સેનાએ કેજરીવાલ સરકારની આબકારી નીતિ 2021-22 (Excise Policy 2021-22) માં નિયમોના ઉલ્લંઘન અને પ્રક્રિયાગત ક્ષતિઓ માટે CBI તપાસની ભલામણ કરી છે. મુખ્ય સચિવના તપાસ રિપોર્ટ બાદ LGએ આ પગલું ભર્યું છે. આ તપાસ રિપોર્ટમાં ઘણા નિયમોની અવગણના કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

144 કરોડની લાઇસન્સ ફી માફ કરવાનો આરોપ

રિપોર્ટ અનુસાર દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર પર લાયસન્સ ધારકોને ગેરકાનૂની રીતે લાભ આપવાનો આરોપ છે. રિપોર્ટમાં સૌથી મોટો આરોપ છે કે જ્યારે કોરોના વાયરસ રોગચાળાને કારણે પરપ્રાંતિય મજૂરો દિલ્હી છોડી રહ્યા હતા, લોકો મરી રહ્યા હતા, શેરી વિક્રેતાઓ તેમની આજીવિકા માટે પડકારોનો સામનો કરી રહ્યા હતા, ઢાબા, રેસ્ટોરન્ટ, હોટેલ, જીમ, શાળાઓ પણ બંધ થઈ રહી હતી, તેમને કેજરીવાલ સરકારે મદદ કરી નથી પરંતુ લાંચ કમિશનના બદલામાં, દારૂના વેપારીઓની 144 કરોડ રૂપિયાની લાઇસન્સ ફી માફ કરી દીધી, જેનાથી તિજોરીને મોટું નુકસાન થયું.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

 

કેજરીવાલ સરકાર લોકોને આર્થિક મદદ કરી શકી હોત 

અહેવાલ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે નોંધનીય બાબત છે કે રાજ્યના નાણા અને આબકારી મંત્રી મનીષ સિસોદિયાના સીધા આદેશ હેઠળ આબકારી વિભાગે દારૂના વેપારીઓની 144 કરોડ રૂપિયાની લાઇસન્સ ફી માફ કરી દીધી છે. કેજરીવાલ સરકાર આ નીતિ અપનાવી શકી ન હોત અને લોકોને આર્થિક મદદ કરી શકી હોત. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ સરકારના મનમાં લાંચ અને કમિશનના બદલામાં માત્ર દારૂના વેપારીઓને ફાયદો થવાનો હતો.

Next Article