AIIMSમાં દાખલ લાલુ યાદવને ભગવત ગીતા પાઠ કરવાની મંજૂરી ન મળી, પુત્ર તેજ પ્રતાપે કહ્યું આ જન્મમાં મહાપાપની સજા મળશે
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ(Lalu prasad Yadav) દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન લાલુના પુત્ર તેજ પ્રતાપે આરોપ લગાવ્યો કે પિતાને શ્રીમદ ભાગવત ગીતાના પાઠ કરવાથી રોકવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો અને બિહાર(Bihar)ના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે (Lalu Prasad Yadav Health Update). દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લાલુને સોમવારે ક્રિટિકલ કેર યુનિટમાંથી જનરલ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. દરમિયાન, લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે(Tej Pratap Yadav) દિલ્હી AIIMS પર આરોપ લગાવ્યો છે કે તેઓ તેમને શ્રીમદ ભગવત ગીતાના પાઠ અને સાંભળવાથી રોકે છે. સાથે કહ્યું કે આ પાપ કરનારને આ જન્મમાં આ મહાપાપની કિંમત ચૂકવવી પડશે.
બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવે ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે, ‘પપ્પાને હોસ્પિટલમાં શ્રીમદ ભગવત ગીતાનો પાઠ કરતા અને સાંભળતા અટકાવવામાં આવ્યા હતા, જ્યારે પપ્પાને ગીતા વાંચવી અને સાંભળવી ગમે છે. જે અજ્ઞાની તેને ગીતા વાંચતા અટકાવે છે તે જાણતો નથી કે તેણે આ જ જન્મમાં આ મહાપાપની કિંમત ચૂકવવી પડશે.
पिताजी को अस्पताल में श्रीमद भगवत गीता का पाठ करने एवं सुनने से रोक दिया गया,जबकि पिताजी को गीता पाठ पढ़ना एवं सुनना काफी पसंद है……गीता पाठ से रोकने वाले वाले उस अज्ञानी को ये नही पता कि इस महापाप की कीमत उसे इसी जन्म में चुकानी होगी.. pic.twitter.com/h46fjWXqPb
— Tej Pratap Yadav (@TejYadav14) July 12, 2022
“પપ્પાને જનતાની જરૂર છે, ચાપલૂસોની નહીં”
આ પહેલા સોમવારે તેજ પ્રતાપ યાદવે વધુ એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લાલુ પરિવારના વફાદાર કહેવાતા પૂર્વ ધારાસભ્ય અને આરજેડી નેતા ભોલા યાદવનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. તેમણે માંગ કરી છે કે તેમને તરત જ પાર્ટીમાંથી કાઢી મુકવા જોઈએ. તેજ પ્રતાપે ટ્વીટ કર્યું હતું કે પપ્પાને બિહારના પરિવાર અને લોકોની જરૂર છે, નકામા માણસોની નહીં…..કેટલાક બહારના લોકો પોતાને મિયા મિઠુ કહી રહ્યા છે, નિર્દોષ બનીને પિતાની સેવા કરવાનો ઢોંગ કરી રહ્યા છે. આવા લોકોને બહારનો રસ્તો જલ્દીથી બચાડવો જોઈએ.
“મારે ફક્ત પપ્પા જોઈએ છે અને બીજું કંઈ નહિ”
તેજ પ્રતાપ ભાવુક થઈ ગયા રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના સુપ્રીમો અને પિતા લાલુ યાદવની તબિયત બગડ્યા બાદ પણ તેજ પ્રતાપે પિતા લાલુ માટે ટ્વિટ કર્યું હતું. તેણે લખ્યું કે પિતાજી, તમે જલ્દી સ્વસ્થ થાઓ અને ઘરે આવો.. તમે ત્યાં છો, હું તમારા આશ્રયમાં છું. અને બીજું કંઈ નહીં. ફક્ત મારા પિતા અને માત્ર પિતા.જણાવી દઈએ કે લાલુ તેમના ઘરમાં પડ્યા હતા, જેના કારણે તેમને આ ફ્રેક્ચર થયું હતુ. આ પહેલા લાલુને પટનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા. લાલુ યાદવને હવે ક્રિટિકલ કેર યુનિટમાંથી શિફ્ટ કરવામાં આવ્યા છે. હવે તેને કોમન રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.