Lakhimpur Kheri Violence: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને થયો ડેન્ગ્યુ, જેલની હોસ્પિટલમાં જ ચાલી રહી છે સારવાર

શુક્રવારે જિલ્લા કોર્ટે આશિષ મિશ્રા ઉર્ફે મોનુ, અંકિત દાસ, શેખર ભારતી અને લતીફને 24 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.

Lakhimpur Kheri Violence: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને થયો ડેન્ગ્યુ, જેલની હોસ્પિટલમાં જ ચાલી રહી છે સારવાર
Ashish Mishra (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:00 AM

Lakhimpur Kheri Violence: લખીમપુર ખીરી જિલ્લાના ટિકુનિયા વિસ્તારમાં થયેલી હિંસાના મામલામાં મુખ્ય આરોપી આશિષ મિશ્રા (Ashish Mishra) ઉર્ફે મોનુને ડેન્ગ્યુ (Dengue) થયો છે. શુક્રવારે જ કોર્ટે મોનુને 25 ઓક્ટોબર સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો હતો. હવે તેની તબિયત પૂછપરછ પહેલા જ બગડી ગઈ છે.

જણાવવામાં આવ્યું કે આશિષ મિશ્રાના બે ટેસ્ટમાં ડેન્ગ્યુની પુષ્ટિ થઈ છે, સાથે જ બ્લડ સુગર પણ વધી ગયું છે. ડેન્ગ્યુની પુષ્ટિ થયા બાદ પોલીસે શનિવારે મોડી રાત્રે આશિષને જેલમાં દાખલ કરાવ્યો હતો. જેલની હોસ્પિટલમાં જ તેની સારવાર ચાલી રહી છે. એડિશનલ એસપી અરુણ કુમાર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે.

જરૂર પડ્યે રિમાન્ડ પર લેવામાં આવશે સિંહે જણાવ્યું કે મેડિકલ રિપોર્ટમાં તેમની સુગર પણ વધી છે. મેડિકલી ફીટ ન હોવાને કારણે પોલીસે તેની પૂછપરછ કરવી યોગ્ય ન માનતાં તેને શનિવારે મોડી સાંજે જેલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે જો વધુ જરૂર પડશે તો રિકવરી બાદ તેમને ફરીથી રિમાન્ડ પર લેવામાં આવશે અને તેમની પૂછપરછ કરવામાં આવશે.

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

ગુરુવારે અન્ય ચાર આરોપીઓને કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા શુક્રવારે જિલ્લા કોર્ટે આશિષ મિશ્રા ઉર્ફે મોનુ, અંકિત દાસ, શેખર ભારતી અને લતીફને 24 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આ તમામની પોલીસ કસ્ટડીનો સમયગાળો 22 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યાથી શરૂ થશે અને 24 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે પૂરો થશે. કોર્ટે અગાઉ ગુરુવારે અન્ય ચાર આરોપીઓ સુમિત જયસ્વાલ, સત્ય પ્રકાશ ત્રિપાઠી ઉર્ફે સત્યમ, નંદન સિંહ બિષ્ટ અને શિશુપાલને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

આ તમામ આરોપીઓની પોલીસ કસ્ટડી 24 ઓક્ટોબરે સાંજે પૂરી થશે. 3 ઓક્ટોબરે જિલ્લાના ટિકુનિયા વિસ્તારમાં ફાટી નીકળેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ અને 15-20 અન્ય લોકો સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Animal Husbandry: લ્યો બોલો ! IVF ટેક્નિકથી ભારતમાં પહેલી વાર ભેંસે આપ્યો વાછરડાને જન્મ

આ પણ વાંચો: વડોદરા ધર્માંતરણ અને આફમી હવાલાકાંડના આરોપીને વધુ ચાર દિવસના રિમાન્ડ

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 24 ઓક્ટોબર: આળસને કારણે કોઈ પણ કાર્યને મુલતવી ના રાખો, કારણ કે આના કારણે કેટલાક કાર્યોમાં વિલંબ થઈ શકે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">