કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મીડિયા સાથે વાતચીત કરી. તે દરમિયાન રાહુલ ગાંધીએ કોરોના વાયરસથી સતત વધતા સંકટ અને લોકડાઉનના કારણે આવી રહેલી મુશ્કેલીઓ પર વાત કરી. કોંગ્રેસ સતત મોદી સરકારના નિર્ણયો અને નીતિ પર સવાલ ઉઠાવતી આવી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારને લોકડાઉન ખોલવાની નીતિ જનતાને જણાવવી જોઈએ અને મજૂરોના બેન્ક એકાઉન્ટમાં સીધા પૈસા જમા કરવા જોઈએ. ભારતમાં કોરોનાની ઝડપ જૂન-જુલાઈ પછી પણ વધી શકે છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે અમે સરકારને ઘણી સલાહ આપવાનો નિર્ણય કર્યો છે.
હવે સમય આવી ગયો છે કે જ્યારે નાના કારોબારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે અને લોકડાઉનને ખોલવાની તૈયારી કરવામાં આવે. હવે સરકારે જણાવવું જોઈએ કે શું થઈ રહ્યું છે, જનતાને જણાવવું જોઈએ કે આખરે લોકડાઉન ક્યારે ખુલશે? કેવી પરિસ્થિતીમાં લોકડાઉન ખોલવામાં આવશે. લોકડાઉન દરમિયાન ઘણુ બધુ બદલાઈ ગયું છે, હવે આ મહામારી ખતરનાક થઈ ગઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 7:11 am, Fri, 8 May 20