પાણીમાં ડૂબી ગયેલી અથવા જળ પ્રભાવિત રેલવેના ટ્રેક ઉપર ટ્રેનો ચલાવવી મુશ્કેલ છે. એટલા માટે જ ટ્રેનના ડ્રાઈવર માટે એક ખાસ માર્ગદર્શિકા હોય છે જે તેમને આપવામાં આવે છે. ચોમાસાના સમય દરમિયાન આ માર્ગદર્શિકાનો સંદર્ભ લેવામાં આવતો હોય છે. ખાસ કરીને મુંબઈ અને આસપાસના બાહ્ય વિસ્તારોમાં ઉપયોગ કરવો જરૂરી બને છે.
આવુજ બન્યું મહાલક્ષ્મી એક્સપ્રેમાં સવાર 100 લોકો સાથે. ભારે પૂરના કારણે આ ટ્રેનના ટ્રેક પર વધારે પાણી ભરાઈ ગયા હતા અને પાણી એટલુ વધારે હતુ કે ટ્રેન ચાલી શકે તેમ નહોતી. આ પ્રકારે ફસાયેલી ટ્રેનના રેસ્ક્યુ માટે પણ અલગ પ્રોટોકોલ હોય છે. જે આ મુજબ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પહેલી પ્રાથમિકતા લોકોની કાળજી લેવાની અને તેમને કોઈ અગવડતા ન પડે તેનુ ધ્યાન રાખવાની છે. આ સમય દરમિયાન ટ્રેનમાં સવાર મુસાફરોની સુરક્ષા જળવાઈ રહે તેનો પણ ખાસ ખ્યાલ રાખવાનો હોય છે. કારણકે ટ્રેનને પાણીની બહાર નીકળવામાં સમ પણ લાગી શકે છે. ટ્રેન જ્યાં ફસાઈ હોય ત્યાંની સંબંધિત વિભાગીય રેલવે મેનેજર DRMની કચેરી દ્વારા ટ્રેનની સંભાળ લેવામાં આવે છે.
DRM દ્વારા જિલ્લાના સત્તાધીશો સાથે સંપર્ક કરવામાં આવે છે. આ પ્રકારની પરિસ્થિતિઓમાં DRMને ફસાયેલા મુસાફરો માટે પાણીની બોટલ, ફૂડ પેકેટ અને તબીબી સહાય તેમજ અન્ય સામગ્રી માટેના તાત્કાલિક ખર્ચને મંજૂરી આપવાની સત્તા પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો: મોહમ્મદ આમિરને હવે પાકિસ્તાની રહેવું નથી પસંદ! બ્રિટનની નાગરિકતા મેળવવા માટે કરી અરજી
આ તમામ પ્રક્રિયા દરમિયાન ટ્રેનને નજીકને રેલવે સ્ટેશન પર કેવી રીતે પહોંચાડવી તે કામગીરી પણ શરૂ કરવાની હોય છે. એક પગના સ્તર સુધીના ભરેલા પાણીમાં આધુનિક લોકોમોટિવ્સ એટલેકે ટ્રેનના એન્જિન મોટાભાગના સંજોગોમાં. આ લોકોમોટિવ્સને પાણીમાં ચોક્કસ સ્તર સુધી ચલાવી શકાય છે. ઊંડા પાણીમાં એન્જિનના અંડરસ્લંગમાં પાણી ધુસવાથી જોખમ હોય છે. આ પણી જ બ્રેકડાઉનનું કારણ બને છે. જે એન્જિનને કામ કરતુ બંધ કરે છે અને ટ્રેન અટકી પડે છે.
રેલવેમાં સિગ્નલ પ્રણાલીના કારણે પૂર જેવી પરિસ્થિતીઓમાં ખુબજ સહાયતા મળે છે. વર્તમાન જે સિગ્નલ આપણે ઉપયોગમાં છે તે અદ્યતન છે. પહેલાના સમયમાં ખાસ કરીને મુંબઈ કે બાહ્ય વસ્તારોમાં સિગ્નલને ટ્રેક સરક્યુટીંગ દ્વારા કરવામાં આવતુ છે. જેમા ટ્રેક પર થોડુ પાણી ભરાતાની સાથે જ કાર્યપ્રણાલીમાં સમસ્યા ઉભી થતી. પરંતુ હવેના સમયમાં સેન્સર આધારીત એક્સેલ કાઉન્ટર સિગ્નલથી બદલી દેવામાં આવ્યું છે જે પૂરથી કે વરસાદી પાણીથી પ્રભાવીત થતુ નથી.
[yop_poll id=”1″]
જળ પ્રભાવિત રેલવેના ટ્રેક ઉપર ટ્રેનો ચલાવવી મુશ્કેલ છે. એટલા માટે જ ટ્રેનના ડ્રાઈવર માટે એક ખાસ માર્ગદર્શિકા હોય છે જે તેમને આપવામાં આવે છે. ચોમાસાના સમય દરમિયાન આ માર્ગદર્શિકાનો સંદર્ભ લેવામાં આવતો હોય છે. માર્ગદર્શિકામાં ડ્રાઇવરોને જણાવવામાં આવે છે કે જ્યારે ટ્રેક પર પાણીનું સ્તર કોઈ ચોક્કસ સ્થળે પહોંચે છે ત્યારે ટ્રેનને કઈ ગતિથી ચલાવવી અને કેવી રીતે નીયંત્રણ રાખવુ. ડ્રાઈવરને તમામ માહિતી આપવામાં આવે છે કે ટેકનીકલી એન્જિનમાં આ સમય દરમિયાન કેવા ફરફાર કરવા અને કેવા ઉપકરણોને સક્રિય કરવા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]