જાણો કોણ છે એ રાજકુમારી જેના પ્રેમ લગ્નમાં 21 વર્ષ આવ્યો મોટો વળાંક ?

|

Dec 10, 2018 | 9:02 AM

કોણ છે રાજસ્થાનની રાજકુમારી ? હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. જ્યારે સેલેબ્રિટી લગ્ન માટે રાજસ્થાાન પહોંચી રહ્યા છે. ત્યારે 21 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર જયપુર રાજપરિવારની દીયા કુમારી પોતાના પતિ નરેન્દ્ર સિંહ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. આ મામલે બંને દ્વારા એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે […]

જાણો કોણ છે એ રાજકુમારી જેના પ્રેમ લગ્નમાં 21 વર્ષ આવ્યો મોટો વળાંક ?

Follow us on

કોણ છે રાજસ્થાનની રાજકુમારી ?

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. જ્યારે સેલેબ્રિટી લગ્ન માટે રાજસ્થાાન પહોંચી રહ્યા છે. ત્યારે 21 વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર જયપુર રાજપરિવારની દીયા કુમારી પોતાના પતિ નરેન્દ્ર સિંહ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. આ મામલે બંને દ્વારા એક સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે, આ અમારી અંગત મંજૂરીથી લેવામા આવેલો નિર્ણય છે.

દીયા કુમારી અને નરેન્દ્ર સિંહ લાંબા સમયથી અલગ રહે છે. દીયા કુમારીએ હાલમાં જ ફેમિલી કોર્ટમાં છુટાછેડાની અરજી દાખલ કરી છે. દીયા કુમરી જયપુરના પૂર્વ મહારાજ સવાઈ ભવાની સિંહ અને પદ્મિની દેવીની એક માત્ર સંતાન છે. જેણે લંડનમાં અભ્યાસ કર્યો છે. તેમને બે પુત્ર અને એક પુત્રી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દીયા કુમારી છે ભાજપના પૂર્વ ધારાસભ્ય 

અત્રે નોંધનીય છે કે કુમારીએ 2013માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને ભાજપ માંથી ઉમેદવારી નોંધાવી હતી. એટલું જ નહીં તેમણે સવાઈમાધોપુર બેઠક પરથી વિધાનસભામાં પ્રવેશ પણ મેળવ્યો હતો. જો કે આ વખતે તેઓ પોતાના વ્યક્તિગત કારણોથી ચૂંટણી લડી શક્યા ન હતા.

દીયા કુમારી પોતાના પરિવાર સાથે

દીયા અને નરેનન્દ્ર સિંહની રસપ્રદ પ્રેમકથા 

1997માં નરેન્દ્ર સિંહ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. રાજકુમારી દીયા કુમારી અને નરેન્દ્ર સિંહ એક જ ગોત્રમાં હોવાના કારણે તેમના પ્રેમ લગ્ન પર રાજ પરિવાર સાથે રાજપૂત સમાજે પણ નારાજગી વ્યક્ત કરી હતી. દીયા કુમારી અને નરેન્દ્ર સિંહના પ્રેમલગ્ન પણ ફિલ્મી અંદાઝમાં જ થયા હતા.

આ પણ વાંચો : શું તમે પણ પીવો છો ખાલી પેટે ચા? જો તમારો જવાબ છે ‘હા’, તો વાંચી લો આ ખબર!

બંને વચ્ચે લાંબા સમય સુધી મુલાકાત ચાલી હતી. જે પછી બંનેના પ્રેમ લગ્ન થયા હતા. જે પછી બંનેના જ્યારે લગ્ન થયા ત્યારે ઘણાં રાજપૂત પરિવારને આંચકો લાગ્યો હતો. એટલું જ નહીં લાંબા સમય સુધી આ મામલો ચર્ચામાં પણ રહ્યો હતો.

[yop_poll id=”184″]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:02 am, Mon, 10 December 18

Next Article