આ રાજ્યમાં Corona બેકાબૂ, એક દિવસમાં 46 હજાર નવા કેસ આવતા આગામી બે રવિવારે સંપૂર્ણ Lockdown

|

Jan 21, 2022 | 1:27 PM

બેકાબૂ કોરોના કેસ વચ્ચે કેરળ સરકારે નિયંત્રણો વધુ કડક કર્યા છે. હવે આગામી બે રવિવાર (23 અને 30 જાન્યુઆરી) માટે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન રહેશે.

આ રાજ્યમાં Corona બેકાબૂ, એક દિવસમાં 46 હજાર નવા કેસ આવતા આગામી બે રવિવારે સંપૂર્ણ Lockdown
Lockdown on next sundays(23, 30 Jan) in kerala (Representational Image)

Follow us on

કેરળમાં (Kerala) કોરોના બેકાબૂ બની રહ્યો છે. ગુરુવારે એક જ દિવસમાં સૌથી વધુ 46 હજાર જેટલા નવા કોરોના (Coronavirus) કેસ નોંધાયા હતા. બેકાબૂ કોરોના કેસ વચ્ચે કેરળ સરકારે નિયંત્રણો વધુ કડક કરી દીધા છે. હવે આગામી બે રવિવારે (23 અને 30 જાન્યુઆરી) રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન (Lockdown) રહેશે. આ સમય દરમિયાન માત્ર આવશ્યક સેવાઓને જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં પોઝિટિવિટી રેટ 40 ટકાને વટાવી ગયો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કેરળમાં ગુરુવારે કોરોનાના 46,387 નવા કેસ નોંધાયા છે, જ્યારે 15,388 લોકો સાજા થયા છે. આ સિવાય 32 લોકોના મોત પણ થયા હતા.

આ દરમિયાન રાજ્યભરની તમામ શાળાઓ બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. શુક્રવારથી માત્ર ઓનલાઈન ક્લાસ થશે. કેરળમાં આગામી બે રવિવાર સુધી મોલ, થિયેટર, શાળા-કોલેજ, બજારો, ધાર્મિક સંસ્થાઓ વગેરે બંધ રહેશે. ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેરળ સરકારે 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની માતાઓ માટે ઘરેથી કામ કરવાની જાહેરાત કરી છે. નોંધપાત્ર રીતે કેરળમાં 2020 પછી કોવિડ -19ના સૌથી વધુ કેસ નોંધાયા છે.

આ સિવાય દરેક જિલ્લાનું વહીવટીતંત્ર કેસની સંખ્યાના આધારે નવા નિયંત્રણો નક્કી કરી શકે છે. ધાર્મિક વિધિઓ ઓનલાઈન થઈ શકે છે. થિયેટર અને બાર પરના નિયંત્રણો સંબંધિત જિલ્લા કલેક્ટર દ્વારા નક્કી કરી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના દર અને મૃત્યુ દરમાં વધારો થવાની સ્થિતિમાં જ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવું જોઈએ. બીજી તરફ વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ભારતમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાના નિર્ણયને ફગાવી દીધો છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

મૃત્યુઆંક 51 હજારને પાર

કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન બાદ મૃતકોની યાદીમાં 309 લોકોના નામ જોડાઈ ગયા છે. જે બાદ કુલ મૃત્યુઆંક 51,501 પર પહોંચી ગયો છે. કેરળમાં ઓમિક્રોનના 62 નવા કેસ પણ નોંધાયા છે, જે બાદ રાજ્યમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા 707 પર પહોંચી ગઈ છે. તિરુવનંતપુરમમાં (Thiruvananthapuram) સૌથી વધુ 9,720 કેસ નોંધાયા છે. તે પછી એર્નાકુલમ, કોઝિકોડ, થ્રિસુર, કોટ્ટાયમ અને કોલ્લમમાં અનુક્રમે 3,002, 4,016, 3,627 અને 3,091 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1,99,041 સક્રિય કેસ છે. તેમાંથી માત્ર 3 ટકા જ હોસ્પિટલમાં દાખલ છે.

આ પણ વાંચો: Corona Update: દેશમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધ્યા, સતત બીજા દિવસે 3 લાખથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા 20 લાખને પાર પહોંચી

આ પણ વાંચો: કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુઆંક નોંધાઈ રહ્યા છે અમદાવાદમાં, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 19ના મોત

Next Article