વડાપ્રધાન મોદીએ કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન કર્યુ. પીએમ મોદી પંજાબ પ્રાંતમાં સ્થિત ગુરુદ્વારા દરબાર સાહેબમાં જતા 500થી વધુ ભારતીય યાત્રાળુઓની પ્રથમ ટુકડીને રવાના કરશે. ત્યારે ખાસ વાત એ પણ છે કે શ્રી ગુરૂનાનક દેવજીના 550માં પ્રકાશપર્વ પર કરતારપુર કોરિડોરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વડાપ્રધાન મોદીએ કહ્યું આ કોરિડોર બન્યા પછી હવે ગુરૂદ્વારા દરબાર સાહેબના દર્શન સરળ થઈ જશે. હું પંજાબ સરકાર, શિરોમણિ ગુરૂદ્વારા પ્રબંધક કમેટીનું આ કોરિડોરને નક્કી સમયમાં બનાવનારા દરેક શ્રમિક સાથીનો ખુબ ખુબ આભાર કર્યો હતો.
વડાપ્રધાન મોદીની સાથે ગુરદાસપુરમાં ભાજપ સાંસદ સની દેઓલ, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી અને શિરોમણી અકાલી દળના સુખબીર બાદલ એક સાથે ડેરા બાબા નાનકમાં હાજર રહ્યા હતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો