
પાકિસ્તાન ભલે આજે મોટી મોટી ડીંગો હાંકતુ હોય, અને ભારતને માત આપવાના ખોટા દાવા કરી રહ્યુ હોય. પરંતુ પાકિસ્તાન આજકાલથી નહીં પહેલેથી શેખી મારતુ આવ્યુ છે. દરેક યુદ્ધમાં તે ભારત સામે હાર્યુ છે અને તેના પુસ્તકોમાં વિજયનો ખોટો ઈતિહાસ તેમના બાળકોને ભણાવે છે. આજે એક એવી જ રસપ્રદ ઘટના વિશે આપને જણાવવુ છે. એ સમયે રૉ એ પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ પરવેજ મુશર્રફ જે પાછળથી પાકિસ્તનના રાષ્ટ્રપતિ બન્યા, તેનો ફોન ટેપ કરી લીધો હતો. એ પણ ત્યારે જ્યારે મુશર્રફ ચીનની રાજધાની બૈજિંગમાં હતા. મતલબ સ્પષ્ટ છે કે ચીન-પાકિસ્તાન બંનેને માત્ત આપતા ભારતે આ કરામત કરી બતાવી હતી. આ વાત છે કારગીલ યુદ્ધના સમયની. પાકિસ્તાની સેનાના સૈનિક અને મુજાહિદ્દીન લડવૈયાઓ એપ્રિલ 1999માં ચુપચાપ કારગીલમાં ઘુસી આવ્યા. તેમણે LOC પાર કરી ભારતીય બંકરો પર કબજો કરી લીધો અને ઉંચાઈવાળા વિસ્તારોમાં મજબુત સ્થાન જમાવી લીધુ. ભારતને મે 1999માં આ ઘૂસણખઓરીની જાણ થઈ હતી. એ સમયે સ્થાનિક પશુપાલકો તેમના પશુઓને ચરાવવા માટે નીકળતા સમયે અમુક...
Published On - 7:17 pm, Mon, 2 June 25