કારગિલ વિજયના 20 વર્ષ પૂર્ણ, દેશના જવાનોની વીરગાથા અને જાણો કેવી રીતે પાક.ને ધૂળ ચટાવી હતી

|

Jul 26, 2019 | 4:08 AM

આજે ભારત માટે ગર્વનો દિવસ છે. આજના દિવસે 20 વર્ષ પહેલા સરહદ પર ભારતે પાકિસ્તાનને ધુળ ચટાડીને ઘુસણખોરોને કારગીલના પહાડોથી જ પાછા મોકલી દીધા હતા. ભારતના જવાનોએ પાકિસ્તાન પર જીત મેળવી હતી. શહીદોના સન્માનમાં દુરથી દુરથી લોકો દ્રાસના શહિદ સ્મારકમાં પહોંચ્યા છે. જ્યાં કારગિલ વિજય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન […]

કારગિલ વિજયના 20 વર્ષ પૂર્ણ, દેશના જવાનોની વીરગાથા અને જાણો કેવી રીતે પાક.ને ધૂળ ચટાવી હતી

Follow us on

આજે ભારત માટે ગર્વનો દિવસ છે. આજના દિવસે 20 વર્ષ પહેલા સરહદ પર ભારતે પાકિસ્તાનને ધુળ ચટાડીને ઘુસણખોરોને કારગીલના પહાડોથી જ પાછા મોકલી દીધા હતા. ભારતના જવાનોએ પાકિસ્તાન પર જીત મેળવી હતી.

શહીદોના સન્માનમાં દુરથી દુરથી લોકો દ્રાસના શહિદ સ્મારકમાં પહોંચ્યા છે. જ્યાં કારગિલ વિજય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન મોદી સહિત દેશના મોટા નેતાઓએ કારગિલ દિવસ પર શહિદોને યાદ કર્યા.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1999માં કારગિલ યુદ્ધ થયુ હતું. તેની શરૂઆત 8 મે 1999થી જ્યારે પાકિસ્તાનના સૈનિકો અને કાશ્મીરી આંતકીઓને કારગિલની ટોચ પર જોવામાં આવ્યા હતા. પાકિસ્તાન આ ઓપરેશનની 1998થી તૈયારી કરી રહ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એક મોટા ખુલાસા હેઠળ પાકિસ્તાનનો દાવો ખોટો સાબિત થયો કે કારગિલની લડાઈમાં માત્ર મુજાહિદ્દિન સામેલ હતા પણ સત્ય એ છે કે આ લડાઈ પાકિસ્તાનના સૈનિકોએ પણ લડી. પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIના પૂર્વ અધિકારી શાહિદ અઝીઝે આ રહસ્ય જાહેર કર્યુ હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કારગિલ સેક્ટરમાં 1999માં ભારતીય અને પાકિસ્તાની સૈનિકોની વચ્ચે લડાઈ શરૂ થયાના થોડા અઠવાડિયા પહેલા જનરલ પરવેજ મુશર્રફે હેલિકોપ્ટરથી LOC પાર કરી હતી અને ભારતના વિસ્તારમાં લગભગ 11 કિલોમીટર અંદર એક જગ્યા પર રાત પણ રોકાયા હતા. આ કામ માટે પાકિસ્તાની સેનાએ તેમના 5 હજાર જવાનોને કારગિલ પર ચઢાઈ કરવા માટે મોકલ્યા હતા.

[yop_poll id=”1″]

તત્કાલીન પાકિસ્તાની વડાપ્રધાન નવાજ શરીફે આ વાતને સ્વાકારી હતી કે કારગિલ યુદ્ધ પાકિસ્તાની સેના માટે આપત્તિ સાબિત થઈ હતી. આ યુદ્ધમાં પાકિસ્તાનના 2700થી વધારે સૈનિકને મોતને ભેટયા હતા. પાકિસ્તાનને 1965 અને 1971ની લડાઈથી પણ વધારે નુકસાન થયુ હતુ. આજે દ્રાસના યુદ્ધ સ્મારકમાં ભારત માતાના સપૂતોની વીરતાના કિસ્સાઓ છે. પરિસ્થિતી બદલાઈ ગઈ છે પણ ભારતે પાકિસ્તાનની આ છેતરપિંડીથી ઘણા પાઠ શીખી લીધા છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકોને પરિવારમાં પત્ની અને પુત્ર તરફથી લાભદાયક સમાચાર મળે

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article