Gujarati NewsNationalJammu kashmir terrorists of lashkar e taiba encounter security forces killed 4 terrorist
જમ્મુ-કાશ્મીરઃ પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં સુરક્ષા જવાનોએ આંતકીઓ પર કર્યો સૌથી મજબૂત હુમલો,4 આતંકીઓને કર્યા ઠાર
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં સોમાવારના રોજ આતંકવાદીઓ અને ભારતીય સૈનિકોની વચ્ચે ભારે ગોળીબારી થઈ છે. જેમાં સમગ્ર વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે અને આતંકીઓને સેનાએ ઘેરી લીધા છે. પ્રાપ્ત માહિતીના આધારે લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદી સેનાના જવાનોએ ઠાર કર્યા છે. પરંતુ ત્યાં કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે તેની જાણકારી હજુ સુધી મળી નથી. #JammuAndKashmir : 4 […]
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં સોમાવારના રોજ આતંકવાદીઓ અને ભારતીય સૈનિકોની વચ્ચે ભારે ગોળીબારી થઈ છે. જેમાં સમગ્ર વિસ્તારને ખાલી કરવામાં આવ્યો છે અને આતંકીઓને સેનાએ ઘેરી લીધા છે. પ્રાપ્ત માહિતીના આધારે લશ્કર-એ-તૈયબાના 4 આતંકવાદી સેનાના જવાનોએ ઠાર કર્યા છે. પરંતુ ત્યાં કેટલા આતંકવાદીઓ છુપાયેલા છે તેની જાણકારી હજુ સુધી મળી નથી.
#JammuAndKashmir : 4 terrorists of Lashkar-e-Taiba (LeT) killed in an encounter with security forces in Lassipora area of Pulwama District. Identities yet to be ascertained. 2 AK rifles, 1 SLR and 1 pistol recovered. Search operation underway.#TV9News
પુલવામા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની 44 આરઆર બટાલિયન, સેના અને એસઓજીએ સંયુક્ત રીતે અભિયાન ચાલાવી રહ્યા છે. સુરક્ષાના ભાગ રુપે જવાનોએ તમામ વિસ્તારોને ઘેરીને ત્યાં સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. આ આતંકવાદીઓની પાસેથી 2 એકે 47 રાઈફલ, 1 એસએલઆર અને 1 પિસ્તોલ મળેલ છે. હજુ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
થોડા સમય પહેલા બડગામમાં આતંકવાદીઓની સાથે અથડામણ થઈ હતી. તેમાં મરાયેલા આતંકવાદીઓ પાસેથી સુરક્ષા જવાનોને એમ4 રાઈફલ મળી હતી. બડગામ સેન્ટ્રલ કાશ્મીરમાં આવે છે અને ત્યાં સુરક્ષા જવાનોને ત્યાં આતંકવાદીઓ છુપાયેલા હોવાની બાતમી મળી હતી.