Jammu Kashmir: ભાજપને 2024માં પણ મળશે 300થી વધુ સીટ, નરેન્દ્ર મોદી ફરી બનશે વડાપ્રધાન- અમિત શાહ

|

Jun 23, 2023 | 1:40 PM

અમિત શાહે જમ્મુથી જ આ બેઠક પર વાત કરી હતી. નિશાન સાધતા કહ્યું કે આજે પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની જ જીત થશે.

Jammu Kashmir: ભાજપને 2024માં પણ મળશે 300થી વધુ સીટ, નરેન્દ્ર મોદી ફરી બનશે વડાપ્રધાન- અમિત શાહ
Amit Shah In Jammu

Follow us on

Jammu Kashmir: કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહ (Amit Shah) હાલમાં જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે, ત્યારે લગભગ સમગ્ર વિપક્ષ આગામી વર્ષની લોકસભા ચૂંટણીની (Lok Sabha Election) તૈયારી માટે પટનામાં મંથન કરી રહ્યો છે, ત્યારે અમિત શાહે જમ્મુથી જ આ બેઠક પર વાત કરી હતી. નિશાન સાધતા કહ્યું કે આજે પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની જ જીત થશે.

300થી વધુ સીટ મળશે અને ફરી જીત નિશ્ચિત છે

જમ્મુમાં અમિત શાહે કહ્યું કે, આજે પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે. દેશભરના વિપક્ષના તમામ નેતાઓ એક મંચ પર મળી રહ્યા છે અને આ બેઠક દ્વારા આ સંદેશ આપવા માંગીએ છીએ કે અમે ભાજપ અને નરેન્દ્ર મોદીને કડક પડકાર આપીશું. તેમણે એમ પણ કહ્યું, હું અહીંથી વિપક્ષના આ નેતાઓને કહેવા માંગુ છું કે તમે ગમે તેટલા લોકો સાથે હાથ મિલાવો, તમે એકસાથે નહીં આવી શકો, જો તમે એકસાથે આવો તો પણ 2024ની સામાન્ય ચૂંટણીમાં મોદીને 300થી વધુ સીટ મળશે અને ફરી જીત નિશ્ચિત છે.

અમિત શાહ 2 દિવસના જમ્મુ-કાશ્મીરના પ્રવાસે

ગૃહમંત્રીએ કહ્યું કે આપણે 2024ની ચૂંટણીમાં 300થી વધુ બેઠકો જીતીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાના છે. ગૃહમંત્રી શાહ આજથી જમ્મુ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસે ગયા છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

આ પણ વાંચો : West Bengal: બંગાળમાં નથી અટકી રહી હિંસા, પુરુલિયામાં TMC નેતાની ગોળી મારીને કરી હત્યા

રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે રાહુલ બાબા હંમેશા વિરોધ કરે છે. જ્યારે કલમ 370 હટાવવામાં આવી ત્યારે તમે વિરોધ કર્યો. રામ મંદિર બને છે તો પણ વિરોધ, ટ્રિપલ તલાક હટાવવામાં પણ વિરોધ. તેમણે કહ્યું કે વિરોધ કરીને તેનો સ્વભાવ જ વિરોધી બની ગયો છે. તેમણે કહ્યું કે એક તરફ રાહુલ બાબા છે તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. મને પૂરી આશા છે કે તમે લોકો 2024માં નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવશો.

આતંકવાદી હુમલામાં 70 ટકાનો ઘટાડો થયો: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવા અંગે શ્યામા પ્રસાદ મુખર્જીને યાદ કરતા કહ્યું કે, જ્યારે અહીં કલમ 370 લાગુ કરવામાં આવી હતી, ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જીએ તેનો વ્યાપક વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ દેશમાં 2 બંધારણ, 2 નીશાન અને 2 પ્રધાનની કોઈ વ્યવસ્થા નહીં હોય.

આ માટે શ્યામા પ્રસાદ લાંબા સમય સુધી સત્યાગ્રહ કરતા જમ્મુ-કાશ્મીર પહોંચ્યા, પરંતુ અહીં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આપણે બધા જાણીએ છીએ કે તેની હત્યા કરવામાં આવી હતી. હવે તેમની આત્માને ખૂબ શાંતિ મળી રહી હશે કારણ કે 5 ઓગસ્ટ 2019ના રોજ પીએમ મોદીએ જમ્મુ-કાશ્મીરમાંથી આ કલમ 370 હટાવી દીધી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article