ચંદ્રયાન-2 મિશનમાં મહત્વનું ભૂમિકા ભજવનારા વૈજ્ઞાનિકના પગાર કપાતનો મામલો સામે આવ્યો છે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ મોતીલાલ વોરાએ મંગળવારના દિવસે રાજ્યસભામાં વૈજ્ઞાનિકોના પગાર કપાત વિશે વાત કરી હતી.
મહત્વનું છે કે, વૈજ્ઞાનિકોના પગાર વધારાની મંજૂરી ખુદ રાષ્ટ્રપતિએ આપી હતી. સરકાર પણ વૈજ્ઞાનિકોને સારો પગાર આપવાની વિચારમાં છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં સારા મહેતાણાના કારણે યુવાનોમાં પણ આ ક્ષેત્ર તરફ આકર્ષણ વધશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
મોતીલાલ વોરાએ રાજ્યસભામાં કહ્યું કે, પગાર વધારો સુપ્રીમ કોર્ટના આદેશ પર 1996માં અંતરિક્ષ વિભાગે લાગુ કર્યો હતો.ત્યારે ચંદ્રયાન-2ને 22 જુલાઈના દિવસે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી બાહુબલી રોકેટ સાથે સ્પેશમાં પ્રક્ષેપણ કરાયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પહેલા કેન્દ્ર સરકારે 12 જૂન 2019ના દિવસે જાહેર કરેલા આદેશમાં વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને વર્ષ 1996થી મળતા પગાર વધારાને રોકી દેવામા આવ્યું છે. આ પગાર વધારો એવા સમયે સરકારે રોક્યો હતો જ્યારે દિવસ રાત વૈજ્ઞાનિકો અને તેની ટીમ કામ કરી રહી હતી. વૈજ્ઞાનિકોની મહેનતના કારણે આજે વિશ્વમાં ભારતની વાહવાહ થઈ રહી છે. અને એ જ વૈજ્ઞાનિકો આર્થિક મુશ્કેલી ઉપાડવી પડે છે.
વૈજ્ઞાનિકોના સંગઠન એસઈએ ઈસરોના ચેરમેનને પત્ર લખી અને પગારના કપાતને રોકવા સાથે સરકારના આદેશને રદ કરવાની અરજી કરી છે. પત્રમાં કહ્યું કે, સરકારી કર્મચારીનો પગાર ત્યાં સુધી કપાત કરવામાં નથી આવતો જ્યા સુધી આર્થિક સ્થિતિને લઈ કોઈ ગંભીર મામલો સામે નથી આવતો.
[yop_poll id=”1″]