ISIS પ્રેરિત કે સરહદ પારનો આતંકવાદ માનવ જીવન માટે ખતરારૂપઃ અજીત ડોભાલ

|

Nov 29, 2022 | 2:39 PM

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે અજીત ડોભાલે કહ્યું કે કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ધર્મના આધારે ઉગ્રવાદ, કટ્ટરતા ફેલાવવાને કદાપી યોગ્ય અને ન્યાયી ઠેરવી શકાય નહી. ધર્મના આધારે આતંક ફેલાવવો તે વિકૃતિ છે. આવી પ્રવૃતિ સામે અવાજ ઉઠાવવો જરૂરી બની જાય છે.

ISIS પ્રેરિત કે સરહદ પારનો આતંકવાદ માનવ જીવન માટે ખતરારૂપઃ અજીત ડોભાલ
Ajit Doval, National Security Advisor of India (File Photo)

Follow us on

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે, ઉલેમાઓના એક કાર્યક્રમમાં કહ્યુ કે, ISIS પ્રેરિત કે સરહદ પારનો આતંકવાદ માનવ જીવન માટે ખતરારૂપ છે. આતંકવાદને આડા હાથે લેતા તેમણે કહ્યું કે, ધર્મના વાસ્તવિક સંદેશને પ્રસરાવવા ઉપર ભાર આપવો જોઈએ. ધર્મના આધારે આતંકને યોગ્ય ગણાવનારાઓને ક્યારેય માફ કરવા જોઈએ નહી.

ભારત અને ઈન્ડોનેશિયામાં આંતર-ધાર્મિક શાંતિ અને સામાજિક સમરસતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ઉલેમાની ભૂમિકા પર રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં એક કોન્ફરન્સને સંબોધતા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે કહ્યું કે, “જેમ તમે બધા જાણો છો તેમ, ભારત અને ઈન્ડોનેશિયા બન્ને આતંકવાદ અને અલગતાવાદનો શિકાર છે. સરહદ પાર અને ISIS પ્રેરિત આતંકવાદની ઘટના માનવ જીવન માટે મોટો ખતરો છે. “આઇએસઆઇએસ દ્વારા પ્રેરિત વ્યક્તિગત આતંકવાદી જૂથો અને સીરિયા અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી પાછા ફરતા લોકોના જોખમનો સામનો કરવા માટે નાગરિક તેમજ સમાજનો સહકાર અત્યંત જરૂરી છે.”

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે અજીત ડોભાલે કહ્યું કે આજની ચર્ચાનો હેતુ ભારતીય અને ઈન્ડોનેશિયાના ઉલેમા અને વિદ્વાનોને એકસાથે લાવવાનો છે. જે સહિષ્ણુતા, સંવાદિતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપવા માટે સહકારને આગળ વધારી શકે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

NSA ડોભાલે કહ્યું, “હિંસક ત્રાસવાદ, આતંકવાદ અને કટ્ટરપંથી વિરુદ્ધની લડાઈને મજબૂત બનાવશે.” તેમણે કહ્યું, ” કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે ધર્મના આધારે ઉગ્રવાદ, કટ્ટરતા ફેલાવવાને કદાપી યોગ્ય અને ન્યાયી ઠેરવી શકાય નહી. ધર્મના આધારે આતંક ફેલાવવો તે વિકૃતિ છે. આવી પ્રવૃતિ સામે અવાજ ઉઠાવવો જરૂરી બની જાય છે. ઇસ્લામના અર્થની વિરુદ્ધ ઉગ્રવાદ અને આતંકવાદ છે. પણ કેટલાક લોકો તેને ઓથ બનાવી રહ્યાં છે. વાસ્તવમાં ઇસ્લામનો અર્થ થાય છે શાંતિ, સલામતી અને લોકોનું કલ્યાણ. ધર્મ આધારિત આતંક ફેલાવનારા સામે લેવાતા પગલાઓને કોઈ ધર્મ સામે કાર્યવાહી તરીકે ના જોવી જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું હતું.

અજીત ડોભાલે કહ્યું કે, વિવિધ ધર્મમાં આપેયાલ માનવતા, શાંતિ, સલામતી અને લોક કલ્યાણના સંદેશને પ્રસરાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. પવિત્ર ધર્મગ્રંથ કુરાન શિખવે છે કે, એક માનવીનો જીવ બચાવવો એ માનવતા બચાવવા સમાન છે. જેહાદનો અર્થ થાય છે પોતાના અભિમાન અને અહંકાર સામે જેહાદ કરવી, કોઈ નિર્દોષ નાગરિકો સામે નહી.

અજીત ડોભાલના આમંત્રણને લઈને ઈન્ડોનેશિયાના રાજકીય, કાનૂની અને સુરક્ષા બાબતોના સંકલન મંત્રી મોહમ્મદ મહફુદ, ઉલેમાઓના ઉચ્ચસ્ચરીય પ્રતિનિધિમંડળ સાથે આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દિલ્લી આવ્યા છે. અજીત ડોભાલ, ગત માર્ચ મહિનામાં ઈન્ડોનેશિયા ગયા હતા. તે સમયે તેમણે ઈન્ડોનેશિયાના રાજકીય, કાનૂની અને સુરક્ષા બાબતોના સંકલન મંત્રી મોહમ્મદ મહફુદને ભારત આવવા આમંત્રણ પાઠવ્યું હતું.

 

 

 

Next Article