
કેન્દ્ર સરકારે ભારતમાં આગામી વસ્તી ગણતરીની તારીખો જાહેર કરી છે. અત્યાર સુધીમાં સૌથી વધુ અપેક્ષિત ગણતરી પ્રક્રિયા હવે બે તબક્કામાં હાથ ધરાવાની છે. 1 માર્ચ 2027થી દેશભરમાં વસ્તી ગણતરી શરૂ થશે અને આ વખતે જાતિ આધારિત ગણતરી પણ કરાશે.
કોરોના મહામારીના કારણે 2021માં યોજાનાર ગણતરી મુલતવી રાખવામાં આવી હતી. છેલ્લી ગણતરી વર્ષ 2011માં થઈ હતી. હવે લગભગ 15 વર્ષ બાદ સરકાર દ્વારા નવી ગણતરી હાથ ધરાશે.
વિશેષ બાબત તરીકે, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી રાજ્યોમાં ગણતરી થોડી વહેલી, એટલે કે 1 ઓક્ટોબર 2026થી શરૂ કરવામાં આવશે.
આ વસ્તી ગણતરી દરમિયાન અધિકારીઓ દેશના લોકો વિશે વિવિધ પ્રકારની માહિતી એકત્રિત કરશે, જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થશે:
સામાજિક માહિતી
વસ્તી સંબંધિત માહિતી
આર્થિક સ્થિતિ
સાંસ્કૃતિક માહિતી
જાતિ આધારિત આંકડા
આ તમામ માહિતીનો ઉપયોગ સરકારના નીતિ ઘડવાઈ અને વિકાસ યોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે થશે.
વસ્તી ગણતરી માત્ર આંકડા ભરવાનું કામ નથી, પણ તે દેશના ભવિષ્ય માટે માર્ગદર્શક સાબિત થાય છે. યોજના, બજેટ વિતરણ અને વિવિધ સરકારી સેવાઓ માટે આંકડા અત્યંત મહત્વ ધરાવે છે.