કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. ભારતીય રેલવેએ 31 માર્ચ સુધી તમામ પેસેન્જર ટ્રેન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ જણાવ્યું કે તમામ લાંબી મુસાફરીની ટ્રેન, એક્સપ્રેસ અને ઈન્ટરસિટી ટ્રેનનું સંચાલન 31 માર્ચ રાત્રે 12 વાગ્યા સુધી બંધ રહેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભારતીય રેલવે તરફથી કહેવામાં આવ્યું કે રદ ટ્રેનોના લિસ્ટમાં કોલકત્તા મેટ્રો, કોંકણ રેલવે, લોકલ ટ્રેન બંધ રહેશે. ત્યારે આજે રાત્રે 12 વાગ્યા સુધી લોકલ ટ્રેન, કોલકત્તા મેટ્રોની સેવા ચાલુ રહેશે. જ્યારે રેલવે મુસાફરોને રાહત આપતા રેલેવે ટિકીટ કેન્સલ કરવા પર કોઈ ચાર્જ ના લેવાનો નિર્ણય કર્યો છે.
રેલવેએ કહ્યું કે મુસાફરોને ટિકીટના પુરા પૈસા રિફંડ કરવામાં આવશે. રેલવે મુજબ આ ટિકીટ કેન્સલ કરવાના અવેજમાં 21 જૂન સુધી પૈસા લેવામાં આવી શકશે. રેલવેએ કહ્યું કે મુસાફરોને સરળતાથી પૈસા મળી શકે તે માટે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના વાયરસને લઈ સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને આપ્યો આ આદેશ
Published On - 8:52 am, Sun, 22 March 20