કોરોના વાયરસ: જનતા કર્ફ્યુથી પેસેન્જર ટ્રેનો પર લાગશે બ્રેક, ભારતીય રેલવેનો નિર્ણય

|

Oct 02, 2020 | 1:37 PM

22 માર્ચે લાગનારા જનતા કર્ફ્યુને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મોટો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવેએ 21 માર્ચની અડધી રાતથી (12 વાગ્યાથી) 22 માર્ચ રાત્રે 10 વાગ્યા સુધી તમામ પેસેન્જર ટ્રેનોને રદ કરી દીધી છે. જો કે, સવારે સાત વાગ્યે શરૂ થયેલી ટ્રેનો કોઈપણ અવરોધ વિના તેમના લક્ષ્યસ્થાન પર પહોંચી શકે છે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ […]

કોરોના વાયરસ: જનતા કર્ફ્યુથી પેસેન્જર ટ્રેનો પર લાગશે બ્રેક, ભારતીય રેલવેનો નિર્ણય

Follow us on

22 માર્ચે લાગનારા જનતા કર્ફ્યુને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મોટો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવેએ 21 માર્ચની અડધી રાતથી (12 વાગ્યાથી) 22 માર્ચ રાત્રે 10 વાગ્યા સુધી તમામ પેસેન્જર ટ્રેનોને રદ કરી દીધી છે. જો કે, સવારે સાત વાગ્યે શરૂ થયેલી ટ્રેનો કોઈપણ અવરોધ વિના તેમના લક્ષ્યસ્થાન પર પહોંચી શકે છે.

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડએ જણાવ્યું કે મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં કેટરિંગની સુવિધા આગામી આદેશ સુધી બંધ કરવામાં આવી છે. IRCTCનું કહેવું છે કે ફુટ પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂમ, ખોરાક અને સેલ કિચન પણ બંધ રહેશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ સવારે 4 વાગ્યાથી રોકી દેવામાં આવશે. તેની સાથે જ લોકલ ટ્રેન સેવાઓને ઘટાડીને ન્યૂનતમ સ્તર પર લાવવામાં આવશે. રેલવે અધિકારીઓ મુજબ જનતા કર્ફ્યુ દરમિયાન કુલ 2400 મુસાફરી ટ્રેન બંધ રહેશે. તેમાં 1,300 મેલ એક્સપ્રેસ ગાડીઓ, પેસેન્જર ટ્રેન અને મોટી સંખ્યામાં લોકલ ટ્રેન સામેલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોરોના વાયરસને ધ્યાનમાં રાખી રેલવે પહેલા જ બિનજરૂરી યાત્રા ટાળવા માટે 245 ટ્રેન રદ કરી ચૂક્યુ છે. મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં ઓન બોર્ડ કેટરિંગ સર્વિસને પણ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસના સંકટને લઈ આગામી 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુનું આહ્વાન કર્યુ છે. વડાપ્રધાને કહ્યું કે આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકોને છોડીને કોઈને પણ ઘરની બહાર ના નીકળવું જોઈએ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:59 am, Sat, 21 March 20

Next Article