LOC પાસે ભારતીય સેનાએ પાકિસ્તાનના બે જવાનોને ઠાર કર્યા છે. પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો. જેમાં પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ LOC પાસે ભારતીય સેનાને સફેદ ઝંડો બતાવીને તેમના પંજાબી સૈનિકોના મૃતદેહો લેવા આવ્યા હતા.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ભારતીય સેનાએ પણ મોતનો મલાજો પાળ્યો હતો અને પાકિસ્તાની સૈનિકોને તેમના જવાનોના મૃતદેહ લેવા દીધા હતા. જો કે પાકિસ્તાની સૈનિકોએ પોતાના જ સૈનિકો સાથે પણ ભેદભાવ કર્યો. પાકિસ્તાની સેનાએ માત્ર પોતાના પંજાબી સૈનિકોના જ મૃતદેહ સ્વીકાર્યા હતા. જ્યારે POKના સૈનિકોના મૃતદેહ સ્વીકાર્યા નહોતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો