અફઘાનિસ્તાનની મદદે આગળ આવ્યુ ભારત, પાકિસ્તાન મારફતે 50 હજાર મેટ્રિક ટન મોકલશે ઘઉં

|

Feb 22, 2022 | 4:39 PM

માનવતાવાદી સહાય પ્રયાસોના ભાગરૂપે, ભારતે છેલ્લા કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો વિશાળ જથ્થો મોકલ્યો છે.

અફઘાનિસ્તાનની મદદે આગળ આવ્યુ ભારત, પાકિસ્તાન મારફતે 50 હજાર મેટ્રિક ટન મોકલશે ઘઉં
India will send wheat to afghanistan (File Photo)

Follow us on

અફઘાનિસ્તાનના(Afghanistan)  લોકોની મદદ માટે ભારતે એક મોટું પગલુ ભર્યું છે. મંગળવારે પાકિસ્તાન (Pakistan) મારફતે 50,000 મેટ્રિક ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલશે. તમને જણાવવુ રહ્યુ કે,આ કન્સાઇનમેન્ટને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા (Foreign Secretary Harsh Vardhan Shringla)ફ્લેગ ઓફ કરશે. આ દરમિયાન ભારત આવેલા એક અફઘાન નાગરિકે કહ્યુ કે,’અમે અફઘાનિસ્તાનથી આવ્યા છીએ.. હું ખૂબ જ ખુશ છું.’ અત્યાર સુધીમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) લગભગ 7 મિલિયન અફઘાન લોકોની મદદ કરી ચૂક્યું છે.

ઈસ્લામાબાદને એક પ્રસ્તાવ મોકલ્યો

મળતી માહિતી મુજબ,પાકિસ્તાન સાથેની વાતચીત અનુસાર અનાજનો આ માલ અટારી-વાઘા લેન્ડ બોર્ડર થઈને પાકિસ્તાન થઈને અફઘાનિસ્તાન પહોંચશે.તમને જણાવવુ રહ્યુ કે, ભારતે 7 ઓક્ટોબર 2021ના રોજ ઈસ્લામાબાદને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેમાં 50,000 ટન ઘઉં પાકિસ્તાન મારફતે રોડ માર્ગે અફઘાનિસ્તાન મોકલવા ટ્રાન્ઝિટ સુવિધાની વિનંતી કરી હતી, જેનો તેને 24 નવેમ્બર, 2021ના રોજ સ્વીકાર થયો હતો. પાકિસ્તાન તરફથી મળેલા જવાબના આધારે બંને પક્ષોએ સાથે મળીને પરિવહન સંબંધિત તમામ વાતચીત નક્કી કરી હતી.

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

ઉલ્લેખનીય છે કે, તેના માનવતાવાદી સહાય પ્રયાસોના ભાગ રૂપે, ભારતે છેલ્લા કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં જીવનરક્ષક દવાઓ અને અન્ય તમામ આવશ્યક ચીજોનો વિશાળ જથ્થો મોકલ્યો છે. દવાઓનું છેલ્લું કન્સાઈનમેન્ટ ગયા શનિવારે જ આવ્યું હતું, જે ભારતથી અફઘાનિસ્તાન મોકલવામાં આવેલા માલનું પાંચમું કન્સાઈનમેન્ટ હતું.

ભારત લગભગ 70 લાખ અફઘાન લોકોને મદદ કરી ચૂક્યું છે

બે અઠવાડિયા પહેલા ભારતે UN વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સાથે એક MOU પર હસ્તાક્ષર કર્યા હતા. યુએનએ પાકિસ્તાનને ભારતને જમીન માર્ગે અફઘાનિસ્તાનમાં 50,000 ટન ઘઉં મોકલવાની મંજૂરી આપવા જણાવ્યુ હતુ.ભારતમાં વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP)ના ડાયરેક્ટર બિશો પરજુલીએ કહ્યુ કે, ભારત વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (WFP) દ્વારા લગભગ 7 મિલિયન અફઘાન લોકોને મદદ કરી ચૂક્યું છે. ભારત સરકારની આ માનવતાવાદી સહાયની વિશ્વભરમાં ખૂબ પ્રશંસા થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ દેશની હાલત ખરાબ થઈ ગઈ હતી.

આ પણ વાંચો: Manipur Election: PM મોદીએ કહ્યુ, ‘ભાજપે અશક્યને શક્ય બનાવ્યું, કોંગ્રેસ લોકોની વેદનાને સમજી શકતી નથી’

Next Article