ભારતે તાલિબાન સરકાર સાથે કામ ન કરવું જોઈએ: પૂર્વ વિદેશ મંત્રી યશવંત સિન્હા

|

Sep 08, 2021 | 7:26 AM

સિન્હાએ આ નિવેદનના થોડા અઠવાડિયા પહેલા એક મુલાકાતમાં કહ્યું હતું કે ભારતે તાલિબાન સાથે "ખુલ્લા મન" સાથે વ્યવહાર કરવો જોઈએ.

ભારતે તાલિબાન સરકાર સાથે કામ ન કરવું જોઈએ: પૂર્વ વિદેશ મંત્રી યશવંત સિન્હા
યશવંત સિન્હા - ફાઇલ ફોટો

Follow us on

તાલિબાનો (Taliban)એ સરકારની રચનાની જાહેરાત કરતા પૂર્વ વિદેશ મંત્રી યશવંત સિન્હા (Yashwant Sinha) એ મંગળવારે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનમાં રચાયેલી નવી સરકાર સાથે કામ ન કરવું જોઈએ. સિન્હાએ ટ્વિટ કર્યું, “ભારત અફઘાનિસ્તાનમાં આ તાલિબાન સરકાર સાથે કામ કરી શકતું નથી અને ન કરવું જોઈએ.”

સિન્હાએ આ નિવેદનના થોડા અઠવાડિયા પહેલા એક મુલાકાતમાં કહ્યું હતું કે ભારતે તાલિબાન સાથે “ખુલ્લા મન” સાથે વ્યવહાર કરવો જોઈએ. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે ભારતે કાબુલમાં દૂતાવાસ ખોલવો જોઈએ અને તેના રાજદૂતને પાછા મોકલવા જોઈએ. તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાન (Afghansitan)ના લોકો ભારતને ખૂબ પ્રેમ કરે છે જ્યારે પાકિસ્તાન તેમની વચ્ચે લોકપ્રિય નથી. ભારત સરકારે એવું ન વિચારવું જોઈએ કે તાલિબાન “પાકિસ્તાનના ખોળામાં બેસી જશે” કારણ કે દરેક દેશ પોતાના હિતોનો વિચાર કરે છે.

તાલિબાન સાથેના મુદ્દાઓ આત્મ વિશ્વાસ સાથે લેવા જોઈએ: યશવંત સિન્હા
તેમણે કહ્યું હતું કે, ભારત એક મોટો દેશ હોવાને કારણે તાલિબાન સાથે આત્મ વિશ્વાસ સાથે મુદ્દાઓ લેવા જોઈએ અને “વિધવા વિલાપ” ન કરવો જોઈએ કે પાકિસ્તાન (Pakisatan)નો અફઘાનિસ્તાન પર કબજો થઈ જશે અથવા ત્યાં તેનો દબદબો જમાવશે. સત્ય એ છે કે તાલિબાન અફઘાનિસ્તાનના મોટા ભાગ પર અંકુશ ધરાવે છે અને ભારતે “રાહ જુઓ” નીતિ અપનાવવી જોઈએ અને તેની સરકારને ઓળખવા કે નકારવામાં ઉતાવળ ન કરવી જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સિન્હાએ કહ્યું હતું કે, “2021 નું ​​તાલિબાન 2001 ના તાલિબાન જેવુ નથી, કંઈક અલગ જણાય છે. તેઓ પરિપક્વ નિવેદનો આપી રહ્યા છે. આપણે તેના પર ધ્યાન આપવું પડશે. તેમના ભૂતકાળના વર્તનને ધ્યાનમાં રાખીને તેમને બરતરફ ન કરવા જોઈએ. આપણે વર્તમાન અને ભવિષ્ય જોવાનું છે.

તેમણે કહ્યું હતું કે તાલિબાને કાબુલ પર કબજો કર્યા બાદ ભારતે દૂતાવાસ બંધ કરવા અને તેના લોકોને ત્યાંથી કાઢવાને બદલે રાહ જોવી જોઈતી હતી. અટલ બિહારી વાજપેયીની સરકારમાં સિન્હા વિદેશ મંત્રી હતા, પરંતુ તેમણે મોદી સરકારની ટીકા કરી અને ભાજપ છોડી દીધું. હાલમાં તેઓ તૃણમૂલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ છે.

તાલિબાને સરકાર બનાવવાની જાહેરાત કરી
તાલિબાને મંગળવારે અફઘાનિસ્તાનની સરકારના મંત્રીમંડળની જાહેરાત કરતા મુલ્લા મોહમ્મદ હસન અખુંદને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. કેબિનેટમાં તાલિબાનની ટોચની વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેમણે અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધન અને તત્કાલીન અફઘાન સરકારના સાથીઓ સામે 20 વર્ષના યુદ્ધમાં પ્રભુત્વ મેળવ્યું હતું. આમાં, વૈશ્વિક સ્તરે નિયુક્ત આતંકવાદી, હક્કાની નેટવર્કના નેતાને ગૃહમંત્રીનો હવાલો આપવામાં આવ્યો છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કાબુલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, “નવી ઇસ્લામિક સરકાર” માં સંગઠનની શક્તિશાળી નિર્ણય લેતી સંસ્થા રહબારી શુરાના વડા મુલ્લા મોહમ્મદ હસન અખુંદ વડા પ્રધાન હશે, જ્યારે મુલ્લા અબ્દુલ ગની બરદાર નાયબ પ્રધાનમંત્રી રહેશે.

 

આ પણ વાંચો: Surat : છત્તીસગઢનો પરિવાર રીક્ષામાં દાગીના ભૂલ્યું, પોલીસે સમયસૂચકતા વાપરી કિંમતી સામાન શોધી કાઢયો

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ કન્યા 8 સપ્ટેમ્બર : પતિ-પત્ની વચ્ચે નાની બાબતે મતભેદ થઈ શકે છે, સ્વાસ્થ્ય સારું રહેશે

Next Article