
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિીર પુતિન 23માં વાર્ષિક ભારત-રશિયા શિખર સંમેલન માટે ભારતની યાત્રાએ આવ્યા હતા. 2022માં યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ પુતિનની આ પહેલી ભારત યાત્રા હતી. નિષ્ણાતો કહે છે આ યાત્રા માત્ર એક કૂટનીતિક બેઠકથી ક્યાંય વધુ છે. તેને અમેરિકા માટે પણ એક મજબૂત સંદેશ માનવામાં આવે છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે ભારત પર તોતિંગ ટેરિફ લગાવ્યો છે. જો કે તેમ છતા ભારત-રશિયાની મિત્રતા સ્હેજ પણ નબળી પડી નથી ઉલટાની વધુ મજબૂત થઈ છે. રશિયાને ભારત દ્વારા સમર્થન આપવા પાછળ બંને દેશોની 7 દાયકાથી ચાલી આવતી અતૂટ મિત્રતા કારણભૂત છે કારણ કે રશિયા એકમાત્ર એવો દેશ છે જે આઝાદી બાદથી ભારતનું સતત સમર્થન કરતુ રહ્યુ છે. ભારત અને રશિયા વચ્ચે મજબૂત ડિફેન્સ પાર્ટનરશિપ આઝાદી મળ્યા બાદ થોડા વર્ષો સુધી ભારત સંપૂર્ણ રીતે શસ્ત્રોની આયાત માટે બ્રિટન અને પશ્ચિમી દેશો પર નિર્ભર હતો. જો કે પછીથી ભારતે આ નિર્ભરતા ખતમ કરી અને ભારતે એ સમયનું સોવિયત સંઘ એટલે રશિયા પાસેથી હથિયારોની...
Published On - 7:26 pm, Sat, 6 December 25