ભારત અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારત સતત એલએસી પર સુવિધા વિકસાવી રહ્યું છે અને ચીની સેનાની હરકતો બાદ મોટાપાયે સૈનિકોને લદાખમાં તૈનાત કરી રહ્યું છે. આ તણાવની વચ્ચે જમ્મુ કાશ્મીરમાં સરકારે જે આદેશ આપ્યો છે તેને લઈને સ્થાનિક લોકો ચિંતિત છે. ભારત ચીન તણાવ વચ્ચે સરકાર દ્વારા 2 આદેશ જારી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : TikTok એપ વર્ષોથી કરી રહ્યું હતું લાખો યૂઝર્સની જાસૂસી, જાણો કેવી રીતે થયો ખુલાસો?
ભારત અને ચીન વચ્ચે તણાવ છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં સરકારી કંપનીઓને ઓછામાં ઓછા બે મહિના સુધીના એલપીજી સિલિન્ડરનો સ્ટોક રાખવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય બીજા આદેશમાં કહેવામાં આવ્યું છે કે સેના માટે સ્કૂલ ખાલી કરવામાં આવે. આ બંને આદેશને લઈને જમ્મુ કાશ્મીરના લોકોમાં ચિંતાનો માહોલ છે. આ ઘટના અંગે પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને લખ્યું છે કે સરકારના આદેશથી લોકોમાં ભયનો માહોલ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
જમ્મુ કાશ્મીરમાં ગાંદરબલ વિસ્તાર આવેલો છે ત્યાં સ્કુલની ઈમારતો સેન્ય માટે ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલના સલાહકારે કહ્યું છે કે ભૂસ્ખલનના લીધે રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ રહી શકે છે. જેના લીધે એલપીજીનો સ્ટોક પ્રભાવિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ગાંદરબલ વિસ્તાર કારગિલથી નજીક છે અને લદાખ સુધી પહોંંચવાનો માર્ગ અહીંથી જ પસાર થાય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 1:20 pm, Sun, 28 June 20