દેશમાં ભાઈચારાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ, કાશ્મીર ઘાટીમાં પુલવામાના એક ગામમાં મુસ્લિમ બનાવી રહ્યા છે હિન્દુઓ માટે મંદિર

|

Mar 05, 2019 | 2:49 PM

હાલમાં સમગ્ર દેશમાં પુલવામા શહેરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે પુલાવાનો આવંતિપોર તાલુકો ફરીથી ચર્ચામાં આવ્યો છે. હંમેશા આતંકવાદના કારણે ચર્ચામાં રહેતા આ સ્થાન પર મુસલમાનો અને પંડિતો સાથે મળીને 80 વર્ષ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી રહ્યા છે. કાશ્મીર ઘાટીમાં થઇ રહેલા આતંકવાદી પ્રવૃતિના કારણે મંદિરનું કામ અટકી ગયું […]

દેશમાં ભાઈચારાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ, કાશ્મીર ઘાટીમાં પુલવામાના એક ગામમાં મુસ્લિમ બનાવી રહ્યા છે હિન્દુઓ માટે મંદિર

Follow us on

હાલમાં સમગ્ર દેશમાં પુલવામા શહેરમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા અંગે ચર્ચા થઈ રહી છે. ત્યારે હવે પુલાવાનો આવંતિપોર તાલુકો ફરીથી ચર્ચામાં આવ્યો છે. હંમેશા આતંકવાદના કારણે ચર્ચામાં રહેતા આ સ્થાન પર મુસલમાનો અને પંડિતો સાથે મળીને 80 વર્ષ જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી રહ્યા છે. કાશ્મીર ઘાટીમાં થઇ રહેલા આતંકવાદી પ્રવૃતિના કારણે મંદિરનું કામ અટકી ગયું હતું.

પુલવામાના અચન ગામમાં હિન્દુ-મુસ્લિમો ભેગા મળીને હાથ મિલાવ્યો છે. જેમાં આ પ્રાચીન મંદિરનું નવનિર્માણનું કામ કરી રહ્યું છે. ખાસ વાત એ છેકે મંદિરની બાજુમાં એક મસ્જિદ પણ આવેલી છે. 14 ફેબ્રુઆરીના રોજ થયેલા હુમલા બાદ સોમવારે શિવરાત્રીના દિવસથી બંને ધર્મના લોકોએ ભેગા મળીને મંદિરનું કામ શરૂ કર્યું છે.

ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં
Peanuts : મગફળી ખાધા પછી આ વસ્તુઓ ન ખાઓ, બગડી શકે છે હેલ્થ
Health News : નાશપતી ખાવાથી થાય છે અનેક ફાયદા

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયા સામે 9 વર્ષ બાદ ‘ગોલ્ડન ડક’નો શિકાર બન્યો મહેન્દ્ર સિંહ ધોની

એટલું જ નહીં ભારે તંગદિલી બાદ પણ મંદિરનું કાણ શરૂ થતાં સમયે મુસ્લિમ લોકો દ્વારા પારંપરિક કાશ્મીરી કેવા ચા પીરસી હતી. મંદિરની બાજુમાં એક જામિયા મસ્જિદ પણ આવેલી છે. મંદિરના નવનિર્માણ સાથે કામ કરતાં લોકોએ કહ્યું કે, અહીં અઝાનની સાથે મંદિરના ઘંટનો પણ અવાજ સંભળાય છે અને લોકોને કોઇ વાંધો પણ નથી.

ગામમાં રહેતાં લોકોના અનુસાર, પંડિત પરિવાર દ્વારા મસ્જિદના વક્ફ સમિતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે પછી મંદિરના પુન: નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 1990ના કાશ્મીર ઘાટીની સ્થિતિ બદલાઈ છે તે સ્થિતિ ફરીથી સ્થપાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના માટે અચન ગામના લોકો દ્વારા મુસ્લિમ સમાજ એકત્ર થઈને મંદિરનું નિર્માણ કામ શરૂ કરી રહ્યા છે.

TV9 Gujarati

 

રસપ્રદ વાત એ છેકે મંદિરના નિર્માણ માટે મુસલમાન ભાઈ કામ કરી રહ્યા છે, કેમ કે તેઓ આ મંદિરને પોતાના ધાર્મિક સ્થાન કરતાં પણ વધુ પવિત્ર માને છે. તેઓ મુશ્કેલીના સમયમાં પણ દરેક સમયે અમારા હિન્દુ પરિવારની પડખે ઊભા રહે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:49 pm, Tue, 5 March 19

Next Article